(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૮
દાદરા નગર હવેલીમા નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૨૫ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૮૨૭ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૨૦૯ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૩૩ નમૂના લેવામા આવેલ જેમાંથી ૦૧ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ૦૬ દર્દી રીકવર થતા રજા આપવામા આવી હતી. પ્રદેશમાં આજરોજ ૦૧ કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૫૯૬૪ લોકોને વેક્સીન આપવામા આવી છે. પ્રદેશમાં અત્યાર સધુમાં કુલ ૨,૬૨,૪૬૭ લોકોને વેક્સીન આપવામા આવી છે.