August 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં કંપનીનું નામ બદલી અન્‍ય જગ્‍યાએ બિઝનેસ કરી રૂા.32.89 કરોડ વેચાણ વેરો ચાઉં કરનાર બે ડાયરેક્‍ટરોની ધરપકડ

સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્‍ટર રાજેન્‍દ્ર ઠક્કર અને અરૂણાબેન ઠક્કરની એસ.ઓ.જી.એ રાધનપુરથી ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી ડુંગરામાં લવાછા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઈન્‍ફોટેક પ્રા.લી. નામની કંપનીની જગ્‍યાએ સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી. નામની કંપની તરીકે નામ બદલી ડાયરેક્‍ટરોએ ચાંદખેડા અમદાવાદમાં ધંધો શરૂ કર્યો હતો. કોમ્‍પ્‍યુટર પાર્ટસ અને ઈલેક્‍ટ્રીક વસ્‍તુઓનું ખરીદ વેચાણના શરૂ કરેલા ધંધામાં વર્ષ 2008-2009 તથા વર્ષ 2009-2010 સુધીનો વેચાણ વેરો, વ્‍યાજ, દંડની કુલ રકમ 32,89,59,142 રૂપિયા ભરપાઈ નહી કરી બન્ને ડાયરેક્‍ટરો છૂ થઈ ગયા હતા તે અંગે ડુંગરા પો.સ્‍ટે.માં નોંધાયો હતો. છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા બન્ને ડાયરેક્‍ટરોને એસ.ઓ.જી.એ રાધનપુરથી ધરપકડ કરી ડુંગરા પોલીસને સોંપવામાં આવ્‍યા છે.
સ્‍વાન ઈન્‍ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્‍ટર રાજેન્‍દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્‍દ્રભાઈ ઠક્કર સામે મુલ્‍યવર્ધિત વેરા અધિનિયમ 2003 મુજબ વેચાણ વેરા કમિશ્‍નરે ફરિયાદ નોંધાવી હતી. ડાયરેક્‍ટરોએ સુચિત કરેલ વાપી તથા અમદાવાદના રહેઠાણો ઉપર હાજર હતા નહી તેથીતા.30-9-2020 ના રોજ વેચાણવેરા વિભાગે બન્ને ડાયરેક્‍ટરો વિરૂધ્‍ધ રૂા.32.89 કરોડના વેચાણ વેરા લેણા રકમ અંગે ડુંગરા પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ આર્થિક ગુનાની વલસાડ એસ.ઓ.જી. તપાસ કરતી હતી. એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે ચાર વર્ષથી નાસતા ફરતા બન્ને ડાયરેક્‍ટર રાધનપુર જી.પાટણમાં છુપાઈને રહી રહ્યા છે તેથી વલસાડ પોલીસ રાધમપુર શીતલ સોસાયટી ખાતે પહોંચી બન્ને ડાયરેક્‍ટરોની ધરપકડ કરી આરોપીઓને ડુંગરા પોલીસમાં સોંપવામાં આવ્‍યા હતા.

Related posts

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

Leave a Comment