March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

(…ગતાંકથી ચાલુ)
નાના કાજરેકર અને રમણ ગુજરના પણ બે ત્રણ પ્રસંગો મઝાના છે. રમણ ગુજરના એક સગાનું પુણેમાં અગરબત્તીનું કારખાનું હતું. ત્‍યાંથી અગરબત્તી વેચવાના બહાને બંને જણા નીકળ્‍યા. સિલવાસા, નરોલી વગેરે સ્‍થાનોએ કેટલીક દુકાનોના નામે બિલો બનાવીને ‘બિલબુક’ થેલીમાં રાખી, અને એ નિમિત્તે બે ત્રણ દિવસ બધેફરતા રહીને સામાન્‍ય નાગરિકોનું મનોબળ, દાદરા નગર હવેલી મુક્‍તિ વિષયમાં સામાન્‍ય નાગરિકના વિચાર, પોલીસ કે સૈનિકોના ઘરની પ્રતિક્રિયા વગેરે ઘણી માહિતી તેમણે ભેગી કરી.
આવા જ એક અન્‍ય પ્રસંગમાં શષા સામગ્રીના સ્‍થાન અને સંખ્‍યાની ચોક્કસ માહિતી મેળવવા એ બંનેએ ભિખારીનો વેષ લીધો અને પાણી માંગવાને બહાને તેઓ સિલવાસાની પોલીસ ચોકી પર ગયા. ભિખારીનું સ્‍વાગત લાત મારીને કરવાની પોર્ટુગીઝોની ટેવ આ બંને જાણતા હશે તેથી અચાનક લાત પડતાં જ એ બંને એવી રીતે પડયા કે તેમનું માથું દરવાજાની અંદર પહોંચે અને દરવાજાની અંદર રાખેલી રાયફલોની જગ્‍યા તેઓ જોઈ શકે.
રાજા વાકણકર અને ત્ર્યંબક ભટ્ટે નાની દમણમાં ફરીને પણ ખૂબ માહિતી એકઠી કરી. ત્‍યાંથી દમણમાં પ્રવેશ કરતી વખતે તેમને પોલીસોએ રોક્‍યા. દમણમાં જવા માટેનું કારણ પૂછતાં તેમણે સરસ ગપ્‍પું માર્યું કે મહારાષ્‍ટ્રમાં તો મોરારજી દેસાઈને કારણે દારૂબંધી છે એટલે મનભરીને દારૂ પીવા માટે વાપી ઉતરી જઈને દમણ આવવું આવશ્‍યક છે. આ વાત સાંભળતાં જ ત્રણેયને દમણમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો.
પ્રથમ તેઓ ફળ બજારમાં ગયા. ભાવતાલ કર્યા અને પછી આખા શહેરમાં રખડયા. આ રખડપટ્ટીમાં તેમને પોર્ટુગીઝોની લશ્‍કરી તૈયારીનો અંદાજ આવ્‍યો. આખા દમણ શહેરમાંસર્વત્ર પોલીસ અને સેનાનો સશષા બંદોબસ્‍ત હતો. ધારણા કરતાં માનવબળ અને શષાબળ પણ વધારે હતું. પરંતુ આ બધું કરતી વખતે નાટક તરીકે પણ દારૂના અડ્ડા પર જવું પડયું અને ક્‍યારેક દારૂ પણ પીવો પડયો. જો કે તેમણે આ વાત માત્ર ધ્‍યેયસિદ્ધિનો હેતુ સમક્ષ રાખીને જ સ્‍વીકારી હતી.
દાદરા નગર હવેલીના આ પ્રદેશમાં લવાછા નામના ગામડામાં પોર્ટુગીઝોના અત્‍યાચારથી પીડિત મહિલાઓનું આશ્રયસ્‍થાન બની રહેલો હેમવતીબાઇ નાટેકરનો એક આશ્રમ હતો. આ આશ્રમ અનેક કાર્યકર્તાઓનું પણ આશ્રયસ્‍થાન બની રહ્યો હતો. સુધીર ફડકે પહેલી વાર જ્‍યારે આ પ્રદેશમાં આવ્‍યા ત્‍યારે આ આશ્રમમાં રહીને જ તેમણે ઘણી માહિતી એકત્ર કરી હતી. દાદરા અને નગર હવેલીની મધ્‍યમાં આ આશ્રમ આવેલો હોવાથી બંને તરફના લોકોની ત્‍યાં ઘણી આવ-જા રહેતી અને સહેલાઈથી બધી માહિતી મળી શકતી. સુધીર ફડકેએ 1954માં દાદરા નગર હવેલી મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા.

(ક્રમશઃ)

Related posts

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

Leave a Comment