July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્‍ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: પીપલગભણ ગામથી રૂમલાને જોડતા માર્ગ ઉપર આમધરા-મોગરાવાડી ગામની સીમમાંથી પસાર થતી ખરેરા નદી ઉપર લો-લેવલ પુલના સ્‍થાને 8.75 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગમકાન વિભાગ દ્વારા હાલે પાંચ સ્‍પાનના મેજર બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ નવા બ્રિજના બાંધકામની લાઇન દોરીમાં જૂના લો-લેવલ પુલનો એપ્રોચ રોડ પણ આવતો હોય હાલની સ્‍થિતિ જોતા આ એપ્રોચ રોડને યોગ્‍ય ન કરવામાં આવે તો ચોમાસામાં વાહન વ્‍યવહાર જ બંધ થઈ જાય તેવા એંધાણ વર્તાય રહ્યાછે.
પીપલગભણ-આમધરા-મોગરાવાડી-રૂમલા માર્ગ આ વિસ્‍તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્‍વનો છે. ખાસ કરીને ખેડૂતોને ખેતીકામ માટે વ્‍યાપક અવર જવર રહેતી હોય છે. અને ખેડૂતોને પોતાની ખેતીવાડીમાં જવા આવવા માટે આ ખરેરા નદી પરના લો-લેવલ પુલ સિવાય બીજો કોઈ વિકલ્‍પ પણ ન હોય તેવામાં ચોમાસા પૂર્વે માર્ગ મકાન દ્વારા જુના લો-લેવલ પુલને જોડતા એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરાવી વાહન વ્‍યવહાર ચાલુ રહે તે માટે કવાયત કરે તે જરૂરી છે.
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર નવા પુલના બાંધકામની મુદત હજુ બાકી છે. ચોમાસા પૂર્વે હાલે જે એપ્રોચ રોડની સ્‍થિતિ છે. તેની ઉપર જીએસબી નાંખીને ચોમાસા દરમ્‍યાન વાહન વ્‍યવહાર જુના પુલ પરથી ચાલુ રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

Related posts

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

Leave a Comment