(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સતાડિયા મંદિર ફળીયા ખાતે રહેતી હીનાબેન નરેશભાઈ પટેલ (ઉ.વ-50) જે રવિવારની સવારના સમયે ઘરની બાજુમાં આવેલ ખેતરમાં કામ કરી રહી હતી. દરમ્યાન જેઠનો છોકરો નિકુંજ પટેલ, સાવંત પટેલ તથા કૈલાશબેન અમારા ખેતરમાં આવેલ પાણીના કુવા પાસે મોટર ગોઠવતા હતા. ત્યારે અત્યારે મોટર ન મુકવા અને કાકા નરેશભાઈ આવે પછી મુકવા માટે જણાવતા કૈલાશબેને જણાવેલ કે આ સહિયારી છે. આ કૂવો દાદાનો છે. જેથી અમારો પણ હક છે. અમારે કોઈને પૂછવાની જરૂરી નથી. તેમ જણાવી નિકુંજભાઈ દોડી આવી માથાના ભાગે ઢીક્કા-મુક્કીનો માર મારી અને ત્યાં ઉભી રહેલ સવંતભાઈ અને કૈલાશબેન મને મારવા માટે દોડી આવેલ અને જણાવેલ કે આ કૂવામાં અમો ભાગ લઈને રહીશું તમારાથી થાય એ કરી લો તેમ કહી નાલાયક ગાળો આપી આજે તો તમો બચી ગયેલ છે. બીજી વાર મળશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપેલ બાદ પતિ નરેશ પટેલ ત્યાં આવતા તેને પણ નિકુંજભાઈએ માર મારેલ હતો.
ઉપરોક્ત મારામારીના બનાવમાં હીનાબેન પટેલને શરીરે ઈજા થતાં 108 ની મદદથી રૂમલા સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ હીનાબેન નરેશભાઈ પટેલ (રહે.સતાડીયામંદિર ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે નિકુંજ હસમુખભાઈ પટેલ, સાવંત હસમુખભાઈ પટેલ, કૈલાશબેન હસમુખભાઈ પટેલ (ત્રણેય રહે.સતાડિયા મંદિર ફળીયા તા.ચીખલી) વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હે.કો-નીતિનભાઈ ગમનભાઈ કરી રહ્યા છે.