October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્‍ટી કોમ્‍પલેક્‍સ, મોલ, હોસ્‍પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડના અત્‍યંત દુઃખદ બનાવ બાદ માત્ર ગેમઝોનને બંધ કરાવીને સંતોષ માનવાના સ્‍થાને ચીખલીમાં સ્‍થાનિક તંત્ર દ્વારા મલ્‍ટી સ્‍ટોરી બિલ્‍ડીંગોમાં ફાયર-સેફટીની ચકાસણી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીખલી ઉપરાંત આસપાસના સમરોલી, મજીગામ, થાલા, ખૂંધ, આલીપોર સહિતના ગામોમાં અનેક જાહેર કોમ્‍પ્‍લેક્ષ, હોટલો, હોસ્‍પિટલો, શૈક્ષણિક સંસ્‍થાઓ, મોલ, સરકારી કચેરીઓના એક માળથી વધુના મકાનો છે. અને તે પૈકી ઘણા કોમ્‍પ્‍લેક્ષ, હોસ્‍પિટલો અને સરકારી કચેરીઓમાં લોકોની વ્‍યાપક અવર જવર રહેતી હોય છે.
તેવામાં લોકોની સલામતી માટે સ્‍થાનિક તંત્ર દ્વારા આવા સ્‍થળોએ મકાનોમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. જોકે સરકારી કચેરી હોય કે ખાનગી બિલ્‍ડીંગો હોય મોટેભાગે ફાયર સેફટીની વ્‍યવસ્‍થા તો જોવા મળી રહી છે. પરંતુ એ વ્‍યવસ્‍થા ચાલુ હાલતમાં છે કે કેમ તે ચકાસવું જરૂરી છે. બાકી તો ભૂતકાળમાં ચીખલીની એક ખાનગી હોસ્‍પિટલમાં ફાયર સેફટીનું મોકડ્રિલ કરવામાં આવતા જંક જામી જવાથી વાલ્‍વ, પાઈપ વિગેરે કામ જ કરતા ન હોવાનું બહાર આવ્‍યું હતું. અને ગંભીર બેદરકારીબહાર આવવા પામી હતી. આમ દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે તેવી સ્‍થિતિ ન સર્જાઈ તે માટે સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની વધુ અવાર જવર વાળા જાહેર કોમ્‍પ્‍લેક્ષ, હોટલો, હોસ્‍પિટલો સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે.
ચીખલીના મામલતદાર રાકેશભાઈ જોષીના જણાવ્‍યાનુસાર ફાયર સેફટીની ચકાસણી માટે ઉપરથી કોઈ સૂચના નથી, ઉપરથી સૂચના મળશે તો ફાયર સેફટીની ચકાસણી કરાવી લઈશું.

Related posts

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

Leave a Comment