Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રમત ગમત અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિ વર્તુળ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા રમતગમત કચેરી આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના તાલુકામાં પ્રથમક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ કળતિમાં ભાગ લીધો હતો. જે પૈકી 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરી જિલ્લામાં ડંકો વગાડ્‍યો છે.
વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના પ્રથમક્રમે વિજેતા બનેલામાં સ્‍પર્ધકોમાં તનીશ્‍કા પંકજ આમ્‍બેકર કથ્‍થક નૃત્‍યમાં, દિવ્‍યા વાઘમશી અને તેનું વૃંદ લગ્નગીતમાં, નિશાંત પ્રવિણભાઈ પ્રજાપતિ હાર્મોનિયમ વાદનનો સમાવેશ થાય છે. બીજાક્રમે વિજેતામાં વિધિ જીગ્નેશભાઈ સંચનીયા એકપાત્રીય અભિનયમાં, શેતલ ભરતભાઈ દેસાઈ એકપાત્રીય અભિનયમાં, ક્રિષા એન. રાજપૂત અને તેનું વૃંદ ગરબામાં, ધ્રુવ સુજીતકુમાર સોમ ઓરગન વાદનનો સમાવેશ થાય છે.ત્રીજાક્રમે વિજેતામાં સાઈશુભમ બિસ્‍વાલ સુગમસંગીત, અનુષ્‍કા વિજય જાધવ દુહા, ચોપાઈ છંદનો સમાવેશ થાય છે. પ્રથમક્રમે વિજેતા થનાર હવે પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.
આ સિદ્ધિ બદલ તમામ વિજેતાઓને શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા તથા કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય શ્રીમતી મિનલ દેસાઈ, આચાર્ય આશા દામા, આચાર્ય રીનાબેન દેસાઈ, આચાર્ય દક્ષાબેન પટેલ, આચાર્ય નીતુ સિંગ અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

સુરત દૈવજ્ઞ સમાજ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધરમપુરને હરાવી મુંબઈની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

Leave a Comment