January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભારથી ચીખલીના ઘેજ ગામના બીડમાં શેરડીના ખેતરમાં લાગેલી આગ

ઝુલા ખાતી વીજલાઈનમાંથી તણખા પડતા આગ ફાટી નિકળી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.03: ઘેજ ગામના બીડમાં પાટીદાર ખેડૂત અગ્રણી ચેતનભાઈના શેરડીના ખેતરમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા જોત જોતામાં આગ મોટા વિસ્‍તારમાં ફેલાતા બે વીઘાથી વધુનો શેરડીનો પાક આગની લપેટમાં આવી જવા સાથે ટપક સિંચાઈના પાઈપો પણ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ચેતનભાઈ સાથે સેજલભાઈ સહિતના ખેડૂતોએ શેરડીના ખેતરમાં કેટલાક શેરડીનો ભાગ કાપી નાંખી અલગ કરી દેતા અને ખેતરમાં પાણી ચાલુ કરી દેતા કઈક અંશે આગ કાબુમાં આવી હતી. બાદમાં તાલુકા પંચાયતના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ પણે કાબુમાં લીધી હતી. ઘટનાનની જાણ થતાં સ્‍થાનિક તાલુકા પંચાયત સભ્‍ય ધર્મેશભાઈ સહિતનાઓ પણ પહોંચી જઈ વીજ કંપનીના ઉચ્‍ચ અધિકારીઓને વિજલાઈનની સત્‍વરે મરામત માટે જાણ કરી હતી. બાદમાં વીજ કંપનીના ઈજનેરો સ્‍થળ પર આવી પંચકયાસની કાર્યવાહી હાથ ધરી હતી.
શેરડીના ખેતરમાં ઝુલા ખાઈ રહેલ વીજ લાઈનની મરામત માત્ર ખેડૂત ચેતનભાઈ દ્વારા ખેરગામ સબ ડિવિઝનના સ્‍ટાફને બે દિવસ પૂર્વે પણ જાણ કરી હતી. પરંતુ વીજ કંપનીના ઈજનેરો દ્વારા ગંભીરતા ન દાખવવામાં આવતા નવ મહિનાનો શેરડીનો પાક નકામો થવા સાથે બિયારણ, ખાતર, પાણી, મજૂરી પાછળ કરેલ ખર્ચ માથે પડવા સાથે વીજ કંપનીનીલાલિયાવાડીમાં મોટું નુકસાન થવા પામ્‍યું હતં.
ખેરગામ વીજ કંપનીના જુનિયર ઈજનેર એન.એન.પટેલના જણાવ્‍યાનુસાર બીડમાં શેરડીના ખેતરમાં વીજ લાઈન નમી ગયેલ છે. તેની મરામત માટેનું આયોજન થઈ જ ગયેલ છે. જે ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલે સ્‍થળ પર નુક્‍શાનીનો પંચકયાસ કરવામાં આવ્‍યો છે.
—-

Related posts

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

10 વર્ષપહેલા નિર્માણ પામેલ સેલવાસના આંબેડકર નગરના આવાસની સિલીંગમાંથી પ્‍લાસ્‍ટરનો પોપડો ખરી પડયોઃ સદ્‌નશીબે કોઈને ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment