July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13:
સમગ્ર સંઘપ્રદેશમાં પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટી તમામ બાંધકામના કામોની મંજૂરી આપે છે. જે અંતર્ગત પંચાયત વિસ્‍તારમાં પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટીની મંજૂરી વગર બાંધકામ થઈ રહ્યા હોવાનું ધ્‍યાનમાં આવતા પ્રશાસને કાર્યવાહીની શરૂઆત કરી છે. જે કડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયત વિસ્‍તારની અંદર જો કોઈ અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામ થશે તો તેની સીધી જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની હોવાનું દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયતી રાજ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને એક સરક્‍યુલર દ્વારા સૂચિત કર્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન-2012ની કલમ 18 અંતર્ગત પોતાની ગ્રામ પંચાયતમાં અનઅધિકૃત / ગેરકાયદેસર બાંધકામ નહીં થાય તેની કાળજી લેવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની છે.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

Leave a Comment