December 28, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે રહેતા નિર્મલસિંહ કરમસિંહ મનિયાની (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી)(ઉ.વ-77) ને હાઇડ્રોસિલનું ઓપરેશન થોડા મહિના અગાઉ કરેલ હોય અને બ્‍લડ પ્રેશરની દવા પણ ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ બુધવારની સવારના સમયે ઘરના ધાબા ઉપર ચઢી બીજા માળેથી પડતું મુકતા નીચે પડતા નાક તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ગુરવીન્‍દ્રરસિંહ નિર્મલસિંહ મનિયાની (ઉ.વ-46) (હાલ રહે.નિલંકઠ દર્શન સોસાયટી મજીગામ તા.ચીખલી) (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ કામગીરીમાં પાણીની લાઈનો તૂટી રહી હોવાની ફરિયાદ

vartmanpravah

Leave a Comment