July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં દીવ ઘોઘલા ખાતે ભાજપ સદસ્‍યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગણેશ નગર કમ્‍યુનિટી હોલ ખાતે આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મિટિંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય શું કામ બનવું જોઈએ તેના અનેક કારણો જણાવ્‍યા. તેઓએ જણાવ્‍યું કે, ભારતીય જનતા પાર્ટી એક મજબૂત અને મોટું સંગઠન છે, અને તેમણે દેશની અનેક મુશ્‍કેલીઓમાં સિંહ ફાળો રહ્યો છે, જેમ કે કોરોનામાં વેકસીન, યુક્રેનની લડાઈમાં ભારતીયોને તેમના વતન પાછા લાવવા, નિઃશુલ્‍ક અનાજ વિતરણ, આવાસ યોજના જેવી અનેક જરૂરિયાતમંદ તથા ગરીબ કલ્‍યાણ માટે કામો કર્યા છે, તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે હાલ કામ ચાલી રહ્યું છે અને રોડ રસ્‍તાના અનેક પ્રશ્નોથી લોકોમાં નારાજગી છે પરંતુ દીવને પ્રશાસક પ્રફુલ પટેલ સિંગાપુર બનાવવાનું સપનું છે જે જલ્‍દીથી પૂરુ થશે. દમણ દીવ ખાતે લોકસભાની ચૂંટણી હાર્યા તેમનો અફસોસ છે પરંતુ આજે તમારે ત્‍યાં જીતેલા ઉમેદવારને પૂછો કે તેમણે 100 દિવસમાં કયું વચન પૂર્ણ કર્યું. વધુમાં તેઓએ સદસ્‍યતા અભિયાનમાં જોડાવવા જણાવ્‍યું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બને એટલાવધારે સદસ્‍ય બનાવવા જણાવ્‍યું હતું. આ સમગ્ર મિટિંગમાં બીજેપી હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા, અને બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment