September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં દીવ ઘોઘલા ખાતે ભાજપ સદસ્‍યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગણેશ નગર કમ્‍યુનિટી હોલ ખાતે આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મિટિંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય શું કામ બનવું જોઈએ તેના અનેક કારણો જણાવ્‍યા. તેઓએ જણાવ્‍યું કે, ભારતીય જનતા પાર્ટી એક મજબૂત અને મોટું સંગઠન છે, અને તેમણે દેશની અનેક મુશ્‍કેલીઓમાં સિંહ ફાળો રહ્યો છે, જેમ કે કોરોનામાં વેકસીન, યુક્રેનની લડાઈમાં ભારતીયોને તેમના વતન પાછા લાવવા, નિઃશુલ્‍ક અનાજ વિતરણ, આવાસ યોજના જેવી અનેક જરૂરિયાતમંદ તથા ગરીબ કલ્‍યાણ માટે કામો કર્યા છે, તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે હાલ કામ ચાલી રહ્યું છે અને રોડ રસ્‍તાના અનેક પ્રશ્નોથી લોકોમાં નારાજગી છે પરંતુ દીવને પ્રશાસક પ્રફુલ પટેલ સિંગાપુર બનાવવાનું સપનું છે જે જલ્‍દીથી પૂરુ થશે. દમણ દીવ ખાતે લોકસભાની ચૂંટણી હાર્યા તેમનો અફસોસ છે પરંતુ આજે તમારે ત્‍યાં જીતેલા ઉમેદવારને પૂછો કે તેમણે 100 દિવસમાં કયું વચન પૂર્ણ કર્યું. વધુમાં તેઓએ સદસ્‍યતા અભિયાનમાં જોડાવવા જણાવ્‍યું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બને એટલાવધારે સદસ્‍ય બનાવવા જણાવ્‍યું હતું. આ સમગ્ર મિટિંગમાં બીજેપી હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા, અને બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ખડાયતા સમાજ દ્વારા 23મો રમોત્‍સવ વલસાડ વેદાંત સ્‍કૂલ પરિસરમાં યોજાયો

vartmanpravah

Leave a Comment