April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ તથા માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી અને ચીફ ઓફિસરના નેતૃત્‍વમાં પ્‍લાસ્‍ટિક પ્રતિબંધનો સખ્‍તાઈથી અમલ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત આજે સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં સફાઈ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્‍તારમાં પ્‍લાસ્‍ટિકનો વપરાશ, તેનું વેચાણ કરનારા દુકાનદારો, વેપારીઓની દુકાનોમાં રેડ પાડવામાંઆવી હતી. જેમાં કુલ 42કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કરવામાં સફળતા મળી હતી. ઉપરાંત તેઓ પાસેથી રૂા.સાત હજારનો દંડ પણ વસૂલવામાં આવ્‍યો હતો.
સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક નગરવાસીઓને કડક સૂચના આપવમાં આવે છે કે, નગરપાલિકા વિસ્‍તારમાં હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન-2020 મુજબ નિમ્‍ન પ્‍લાસ્‍ટિક/પોલીથીનની થેલીઓના વપરાશ તથા તેના વેચારણ ઉપર પ્રતિબંધ છે. તેનું વેચાણ કરવું પણ દંડનીય ગુનો છે. ઉપરાંત હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન-2020 અનુસાર કોઈપણ દુકાનદાર અથવા પથવિક્રેતાને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ અથવા સંગ્રહ કરવાની અનુમતિ નથી. એવું કરનાર પર ઉપનિયમો મુજબ વારંવાર કરવામાં આવતા અપરાધ પર એ દુકાનદારો અને પથ વિક્રેતાઓનું રજીસ્‍ટ્રેશન રદ્‌ કરવા માટે આગળ ઉત્તરદાયી ગણાશે.

Related posts

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

મરવડની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના ઉચ્‍ચ અને ટેક્‍નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment