Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં આંતર કોલેજ વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત પૂજા અરોરા દ્વારા ‘‘વિશિષ્ટ બાળકો” વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં કો ફાઉન્‍ડર ઓફ સમીપ ફાઉન્‍ડેશન ચલાના આચાર્ય શ્રીમતી પૂજા અરોરાનું વ્‍યાખ્‍યાન યોજાયું હતું. જેમાં તેમણે ‘‘વિશિષ્ટ બાળકો” વિષય સંદર્ભે વ્‍યાખ્‍યાન રજૂ કર્યું હતું. વિષય અંતર્ગત તેમણે શિક્ષણ વ્‍યવસાયમાં જોડાયા બાદ વિશિષ્ટ બાળકોને શિક્ષણ કેવી રીતે આપવું ? તે માટે શિક્ષક તરીકે ભૂમિકા કેવી હોવી જોઈએ? શિક્ષકનો ધર્મ, શિક્ષક વિદ્યાર્થી અને જ્ઞાનની પરાયણતા સંદર્ભ વિશેષમાર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. વધુમાં તેમને તાલીમાર્થીઓને વર્ગખંડમાં વિદ્યાર્થી સાથેનો વ્‍યવહાર, પોતાના વ્‍યક્‍તિત્‍વ સંદર્ભે વિશિષ્ટ બાળકો સાથે પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી તેના વિશે પણ પોતાની સરળ ભાષા શૈલીની અંદર ખુબજ ઉત્‍સાહભેર સમજૂતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.પૂજા સિદ્ધપુરા દ્વારા કરવામાં આવ્‍યું હતું અને અંતે એસ.વાય.બીએડની તાલીમાર્થી પટેલ પલક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સુંદર વ્‍યાખ્‍યાન યોજવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ અને આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણઃ દલવાડા ગૌશાળામાં 60 થી વધુ પશુઓના મોતઃ સમોસાની પટ્ટી પશુઓના મોત માટે નિમિત્ત હોવાનું પ્રાથમિક તારણ

vartmanpravah

Leave a Comment