Vartman Pravah
Breaking Newsદમણદીવ

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

આજે સવારે 9 કલાકે સ્‍વ. પી.એસ.જાનીની અંતિમ યાત્રા નીકળશે

સંઘપ્રદેશમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઅù અને તેમના ચાહક વર્ગમાં ફેલાયેલી શોકની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 10

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને નિવૃત્ત દાનિક્‍સ અધિકારી શ્રી પરિમલ જાનીનું આજે ટૂંકી માંદગી બાદ સુરતની હોસ્‍પિટલમાં નિધન થતાં તેમના વિશાળ ચાહક વર્ગમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્‍વ. પરિમલ એસ. જાનીની સ્‍મશાન યાત્રા આવતી કાલ તા.11મી સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9:00 કલાકે તેમના નિવાસ સ્‍થાન સાંઈકૃપા-04 નાની દમણથી મોટી દમણ ભીતવાડી સ્‍મશાન ગૃહમાં નિકળવાની હોવાની જાણકારી સદ્‌ગત જાનીના મિત્રવર્તુળે આપી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્‍વ. પી.એસ.જાનીએ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં વિવિધ પદો ઉપર પોતાની સફળ કામગીરી બજાવી હતી. દમણના બી.ડી.ઓ.થી લઈ જિલ્લા પંચાયત, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, કાર્મિક વિભાગ, નાયબ કલેક્‍ટર જેવા વિવિધ પદો ઉપર પોતાની ફરજ બજાવી ચુક્‍યા હતા. તેઓ દમણ-દીવના પ્રથમ દાનિક્‍સ અધિકારી પણ બન્‍યા હતા અને દિલ્‍હી પ્રશાસનમાં પણ પોતાની ફરજ બજાવનારા તેઓ સંઘપ્રદેશના પ્રથમ અધિકારી હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને સ્‍વ. પી.એસ.જાનીની સિનિયોરીટી અને કામ કરવાની શૈલીથી પ્રભાવિત થઈ દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે પણ નિયુક્‍તિ કરી હતી. તેઓ છેલ્લે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીના પદ ઉપરથી સેવાનિવૃત્ત થયા હતા.

સ્‍વ. પી.એસ.જાની હંમેશા હસમુખા અને દરેકને મદદરૂપ થવાની ભાવના રાખતા હતા. તેમના નિધનના સમાચારથી સમસ્‍ત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સ્‍વ. પી.એસ.જાનીના પાર્થિવ દેહને આવતી કાલે સવારે 9 વાગ્‍યે મોટી દમણ ભીતવાડી સ્‍મશાન ગૃહ ખાતે અગિ્નદાહ આપવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

Leave a Comment