January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના વતની અને આદિવાસી વિસ્‍તારમાં આદિવાસી વાજિંત્ર તૂર વાદક તરીકે ઓળખાતા રણજીતભાઈ પટેલ વલસાડ એસ.ટી. બસમાં કંડકટર તરીકે 28 વર્ષ દીર્ઘકાલીન સેવા આપ્‍યા પછી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય મોટી સખ્‍યામાં સૌ સ્‍નેહીજનો, શુભેચ્‍છકો મિત્રો અને સગા સંબધીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ચુનીભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે ભૈરવી ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
ખેરગામ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે નાધાઈ યોજાયેલ નિવળતિ કાર્યક્રમમાં ત્રિવેણી કાર્યક્રમ વણી લેવાયો હતો. જેમાં સત્‍યનારાયણ પૂજા… નિવૃતિ સન્‍માન કાર્યક્રમ અને લોકવાદ્ય તૂર સ્‍પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લગભગ 20 જેટલી તૂર વાદકોની જોડ હતી અને સૌ માટે આકર્ષણનું કેદ્ર બન્‍યું હતું અને રમઝટ જમાવી હતી. કાન્‍તિભાઈ, હસમુખભાઈ, મગનભાઈ, વગેરે પીઢ અને જૂના તૂરવાદકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
નિવૃત્ત થતા રણજીતભાઈએ મામા ડાહ્યાભાઈ, સ્‍નેહીજનો,શુભેચ્‍છકો, મિત્રો, સગા સંબધીઓ મોટી સખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ પટેલે કર્યુ હતું.

Related posts

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment