September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના વતની અને આદિવાસી વિસ્‍તારમાં આદિવાસી વાજિંત્ર તૂર વાદક તરીકે ઓળખાતા રણજીતભાઈ પટેલ વલસાડ એસ.ટી. બસમાં કંડકટર તરીકે 28 વર્ષ દીર્ઘકાલીન સેવા આપ્‍યા પછી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય મોટી સખ્‍યામાં સૌ સ્‍નેહીજનો, શુભેચ્‍છકો મિત્રો અને સગા સંબધીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ચુનીભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે ભૈરવી ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
ખેરગામ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે નાધાઈ યોજાયેલ નિવળતિ કાર્યક્રમમાં ત્રિવેણી કાર્યક્રમ વણી લેવાયો હતો. જેમાં સત્‍યનારાયણ પૂજા… નિવૃતિ સન્‍માન કાર્યક્રમ અને લોકવાદ્ય તૂર સ્‍પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લગભગ 20 જેટલી તૂર વાદકોની જોડ હતી અને સૌ માટે આકર્ષણનું કેદ્ર બન્‍યું હતું અને રમઝટ જમાવી હતી. કાન્‍તિભાઈ, હસમુખભાઈ, મગનભાઈ, વગેરે પીઢ અને જૂના તૂરવાદકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
નિવૃત્ત થતા રણજીતભાઈએ મામા ડાહ્યાભાઈ, સ્‍નેહીજનો,શુભેચ્‍છકો, મિત્રો, સગા સંબધીઓ મોટી સખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ પટેલે કર્યુ હતું.

Related posts

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

Leave a Comment