Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્‍યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે સંઘપ્રદેશ પ્રવાસના બીજા ચરણમાં બપોરે સેલવાસના અટલ ભવન અને સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 15ના આગ્રીવાડમાં સદસ્‍યતા અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ દાદરા નગર હવેલી – સેલવાસ સાથેના જૂના સંસ્‍મરણો વાગોળતા વિશ્વાસ સાથે એક લાખ સભ્‍યો નોંધવા આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી ભાજપના કાર્યકર્તાઓને સફળ સભ્‍ય નોંધણી બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણમાં વૃક્ષારોપણ સાથે સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah

Leave a Comment