October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્‍યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે સંઘપ્રદેશ પ્રવાસના બીજા ચરણમાં બપોરે સેલવાસના અટલ ભવન અને સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 15ના આગ્રીવાડમાં સદસ્‍યતા અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ દાદરા નગર હવેલી – સેલવાસ સાથેના જૂના સંસ્‍મરણો વાગોળતા વિશ્વાસ સાથે એક લાખ સભ્‍યો નોંધવા આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી ભાજપના કાર્યકર્તાઓને સફળ સભ્‍ય નોંધણી બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment