March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્‍યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે સંઘપ્રદેશ પ્રવાસના બીજા ચરણમાં બપોરે સેલવાસના અટલ ભવન અને સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 15ના આગ્રીવાડમાં સદસ્‍યતા અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ દાદરા નગર હવેલી – સેલવાસ સાથેના જૂના સંસ્‍મરણો વાગોળતા વિશ્વાસ સાથે એક લાખ સભ્‍યો નોંધવા આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી ભાજપના કાર્યકર્તાઓને સફળ સભ્‍ય નોંધણી બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે વલસાડ કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

Leave a Comment