સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે સંઘપ્રદેશ પ્રવાસના બીજા ચરણમાં બપોરે સેલવાસના અટલ ભવન અને સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 15ના આગ્રીવાડમાં સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ દાદરા નગર હવેલી – સેલવાસ સાથેના જૂના સંસ્મરણો વાગોળતા વિશ્વાસ સાથે એક લાખ સભ્યો નોંધવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી ભાજપના કાર્યકર્તાઓને સફળ સભ્ય નોંધણી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.