March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

સરપંચ પ્રિતીબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષભાઈ પટેલે ગ્રામજનોને સુકા અને ભીના કચરાના વિવરણથી માહિતગાર કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
દમણના મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત સ્‍થિત માહ્યાવંશી ફળિયામાં સરપંચ શ્રીમતી પ્રિતીબેન ધનસુખભાઈ હળપતિ અને ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલના નેતૃત્‍વમાં આમ જનતા માટે એક દિવસીય ચૌપાલનું આયોજન તા.31/12/2021ના રોજ કરવામાં આવ્‍યું હતું.
જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગઅને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021 જે 26મી જાન્‍યુઆરી 2022થી કેન્‍દ્રશાસિત પ્રદેશમા લાગુ કરવામા આવશે.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન થતા કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ,નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ,પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ,ખતરનાક ઉપવિષ્ટ,બાયો મેડીકલ વેસ્‍ટ,કન્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી.
પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. આ સાથે સૂચનાત્‍મક પેમ્‍ફલેટનું પણ વિતરણ કરવામા આવ્‍યું હતું. જેમાં બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી.

Related posts

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

vartmanpravah

Leave a Comment