October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

જીઆઈડીસીએ એસઆઈએને ફાળવેલ પ્‍લોટ અને નોટિફાઇડ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ફાળવેલ જમીન તેમજ કોમન ઈન્‍ફયુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ફાળવવાની બાકી રહેલી જમીનને હાંસલ કરવા યોગ્‍ય દિશામાં હાથ ધરેલી કાર્યવાહીના ભાગરૂપે એડવાઈઝર કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસઆઈએ પ્રેસિડન્‍ટ નિર્મલભાઈ દુધાની અને સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી આનંદ પટેલ અને સેહુલ પટેલે જિલ્લા અધિક કલેક્‍ટરની રૂબરૂ મુલાકાત કરી દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની વર્તમાન ટીમે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર જમીનને લગતા લાંબા સમયથી વણઉકેલ રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે સફળતા પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્‍નો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે એસઆઈએની ટીમે વલસાડ જિલ્લા અધિક કલેક્‍ટર શ્રીમતી એસઆર ઝાની રૂબરૂમુલાકાત કરી સર્જાયેલી ટેક્‍નિકલ ખામીને દૂર કરવા રજૂઆત કરી છે.
વિગતે જોતા જીઆઇડીસીએ 1999 માં એસઆઈ એને પ્‍લોટ નંબર 1241 અને 2003માં નોટિફાઇડ કચેરીને પ્‍લોટ નંબર 1242 ની ફાળવણી કરી હતી. પરંતુ જીઆઇડીસી આ પ્‍લોટનો કબજો હજુ સુધી આપી શકી નથી અને આપવામાં નિરસ્‍તા દાખવી રહી હતી. જીઆઇડીસીના અધિકારીઓ ખાનગી કંપનીને જ્‍યારે પ્‍લોટની ફાળવણી કરે છે એનો તાત્‍કાલિક કબજો સોપવા ઉત્‍સુકતા દાખવે છે એવી પ્રમાણિકતા અહીં નહીં દાખવતા ખાનગી જમીન માલિક લાભ લેવામાં સફળ થયો હતો અને સાતબારાની નકલ ઉપર એમના નામની નોંધ ચઢી જવા પામી હતી. આ કાયદાકીય ગૂંચનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં જીઆઇડીસીના અધિકારીઓ અથવા એસઆઈએના પ્રમુખોએ આજ દિન સુધી યોગ્‍ય દિશામાં કામગીરી કરી નથી. એવી જ રીતે બીજા મુદ્દામાં સીઈટીપીના પાછળના ભાગે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે 65000 સ્‍ક્‍વેર મીટર જમીન જીઆઇડીસી દ્વારા ફાળવવાનું નક્કી કરવામાં આવેલું છે. આ જમીનમાંથી 35,000 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ઉપર ટીએસડીએફની સુવિધા, 10000 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ઉપર ડોમેસ્‍ટિક વેસ્‍ટ ડમ્‍પિંગ સાઈટ સુવિધા અને સીઈટીપીને બાકી રહેલી 19,500 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ફાળવવાની છે. પરંતુ આ જગ્‍યાને લાગુ વન વિભાગની અને ખાનગી માલિકીની સર્વે નંબર 27ની જમીન આવેલી છે જેના કારણે હદ બાબતે વિવાદ સર્જાઈ રહ્યો છે. આ ઘટનામાં પણ જીઆઇડીસીના અધિકારીઓ વિવાદનો ઉકેલ આવતો નથી. હવે આ સમગ્ર વિવાદિત પ્રકરણને સરળતાથી ઉકેલ લાવવા માટે એસઆઇએની ટીમે જીઆઇડીસીના અધિકારીઓ તેમજ ડીઆઇએલઆર વિભાગ અને વલસાડ જિલ્લા અધિક કલેક્‍ટરનો સંપર્ક કરી ઝડપથી નિરાકરણ આવે એવા પ્રયાસ હાથ ધર્યા છે.

Related posts

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

Leave a Comment