March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વન વિભાગ સાવધાન!: ઉમરગામ જીઆઇડીસીને લાગુ ગામડાઓમાની જંગલ ખાતાની જમીન પર ભૂમાફિયાઓની બગડી રહેલી દાનત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઇડીસીને લાગુ ગામડાઓમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક અને ઔદ્યોગિક એકમોનો વ્‍યાપ વધતા જોવા મળી રહ્યો છે. આ પ્રકારે સ્‍થાપિત થઈ રહેલા એકમોને જીઆઇડીસીએ ઉભી કરેલી પાયાની સુવિધાનો સીધેસીધો લાભ પણ મળી રહ્યો છે. નોટિફાઇડના અધિકારીઓની રહેમ હેઠળ આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે.
ઉમરગામ જીઆઇડીસી વિસ્‍તારનાં લાગુ દહેરી, દહાડ, સોળસુંબા, પળગામ, ટીંભી વિગેરે જેવાં કેટલાંક ગામોમાં ઈન્‍ડસ્‍ટ્રીલ પાર્ક, એસ્‍ટેટ અને સ્‍વતંત્ર ઔદ્યોગિક એકમો બનતાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયાં છે. ખાસ કરીને ઉમરગામ નોટિફાઇડ વિસ્‍તારને લાગુની જમીનોનાં ભાવો વધુ ઊંચકાયેલા છે.
દહેરી અને સોળસુંબા ગામની જમીનો આમાં મોખરે હોવાનું જાણવાં મળ્‍યું છે. કેટલાંક જમીન ચોરટાઓ જમીન ખરીદવા કે અતિક્રમણ કરવાં ઉમરગામ તાલુકામાં આવેલી ગૌચરની જમીન, સરકારી જમીન, 73એએનીજમીન કે પછી, જંગલ હસ્‍તકની જમીનોને પણ છોડી ન હોવાની ચર્ચા જોવા મળી રહી છે. જંગલ ખાતાની જમીનનો સર્વે નંબર તેમજ નકશાની અને હદની જાણકારીથી ગ્રામ પંચાયતો અજાણ છે. જેના કારણે ભુમાફીઓને વધુ ફાવટ આવેલી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
ઉમરગામ અને સોળસુંબા ફોરેસ્‍ટ બીટમાં આવેલી જંગલ જમીનનાં ક્ષેત્રફળ મેળની ચોકસાઈ બાબતે વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓએ ઘટતું કરવું જોઈએ. જેથી કોઈ જમીન ચોર ઈન્‍ડસ્‍ટ્રીલ પાર્ક, એસ્‍ટેટ કે પછી સ્‍વતંત્ર ઔદ્યોગિક એકમોનું જંગલની જમીનમાં અતિક્રમણ કરાવી, આ જમીન વેચી મારી હોય તો તેની વિગતો મેળવી તેમની સામે કાર્યવાહી કરી શકે.
વન વિભાગનાં સુત્રો પાસેથી જંગલ વિસ્‍તારની મળતી માહિતી મુજબ, ઉમરગામ બીટમાં અનુક્રમે, ઉમરગામ, દહેરી અને ગોવાડા ગામો આવે છે. જેમાં, ઉમરગામનો અનામત જંગલ વિસ્‍તાર 18.88 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 2.18 હેકટર છે. દહેરીનો અનામત જંગલ વિસ્‍તાર 8.68 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 8.75 હેકટર છે. ગોવાડાનો અનામત જંગલ વિસ્‍તાર 57.93 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 1.49 હેકટર છે. એજ પ્રમાણે, સોળસુંબા બીટમાં અનુક્રમે, ભાઠી કરમબેલી, ટીંભી અને પળગામ ગામો આવે છે. જેમાં, ભાઠી કરમબેલીનો રક્ષિતજંગલ વિસ્‍તાર 26.75 હેકટર છે. પળગામનો રક્ષિત જંગલ વિસ્‍તાર 15.92 હેકટર છે. આમ આ પ્રકરણમાં વન વિભાગે નકશા અને સાતબારાની નકલ સાથે ક્ષેત્રફળનો તાળો મેળવી ચોકસાઈ કરવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

વિજયાદશમીના પવિત્ર પાવન દિને માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે શસ્ત્રપૂજનનો ભવ્‍ય કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment