January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
પ્રદેશની એકમાત્ર લો કોલેજ હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રીસર્ચમાં ઓરીએન્‍ટેશન પ્રોગામ દ્વારા નવા વાર્ષિક સત્રનો પ્રારંભ વિદ્યાર્થીઓને કાયદાકીય શિક્ષણ અને તેના પરિચય દ્વારા કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે મહારાષ્‍ટ્રના પૂર્વ ગળહરાજ્‍ય મંત્રી શ્રી કળપાશંકર સિંહ, ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહ, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સાથે સિનિયરએડવોકેટ વર્ષા પાલવ ઉપસ્‍થિત રહ્યા હતા.
લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ જી. ચૌહાણની અધ્‍યક્ષતામાં આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મેનેજમેન્‍ટ કમિટીના સભ્‍ય કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, કાર્યકારિણી સભ્‍ય શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, લાયન્‍સ ઈગ્‍લિંશ સ્‍કૂલ અને દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના સભ્‍ય પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
કોલેજના પ્રભારી નિશા પારેખ દ્વારા કાયદાકીય શિક્ષણ અને તેને લગતી માહિતી સાથે કોલેજની સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકયો હતો. જ્‍યારે કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સુમન શર્મા અને આયુષી શર્માએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સભાળ્‍યુ હતું. વાઈસ પ્રિન્‍સિપાલ શિલ્‍પા તિવારી, સહાયક પ્રોફેસર શ્રી રાજવીરસિંહ પરમાર, લક્ષ્મી નાયર, સુગત તાજને વગેરેએ કાર્યક્રમને સંભાળી પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

Leave a Comment