Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: સમરોલી સ્‍થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ચીખલી નગરના ધોબીવાડ, બજાર સ્‍ટ્રીટ, વાણિયાવાડ, બગલાદેવ મંદિર, એસ.ટી.ડેપો સર્કલ થઈ સમરોલી સ્‍થિત મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમ્‍યાન ભાવિકભક્‍તો દ્વારા ભગવાન જગન્નાથના સૌએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળતા ચીખલી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાણિયાવાડ સ્‍થિત રામજી મંદિર ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રથયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્‍તારમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્‌વો લીધો હતો. સાથે રથયાત્રામાં ભજન અને ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. દરમ્‍યાન ચીખલી ઈન્‍ચાર્જ પીઆઈ શ્રી રાજપૂત, પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા, શ્રીએચ.એસ.પટેલ તેમજ ચીખલી પોલીસના શ્રી અલ્‍પેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી ગણપતભાઈ સહિત ચીખલી પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment