January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: સમરોલી સ્‍થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ચીખલી નગરના ધોબીવાડ, બજાર સ્‍ટ્રીટ, વાણિયાવાડ, બગલાદેવ મંદિર, એસ.ટી.ડેપો સર્કલ થઈ સમરોલી સ્‍થિત મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમ્‍યાન ભાવિકભક્‍તો દ્વારા ભગવાન જગન્નાથના સૌએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળતા ચીખલી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાણિયાવાડ સ્‍થિત રામજી મંદિર ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રથયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્‍તારમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્‌વો લીધો હતો. સાથે રથયાત્રામાં ભજન અને ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. દરમ્‍યાન ચીખલી ઈન્‍ચાર્જ પીઆઈ શ્રી રાજપૂત, પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા, શ્રીએચ.એસ.પટેલ તેમજ ચીખલી પોલીસના શ્રી અલ્‍પેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી ગણપતભાઈ સહિત ચીખલી પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

Leave a Comment