March 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા આગામી 25મી ડિસેમ્‍બર,2021ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસને ‘સુશાસનદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા તા. 20 થી 25 ડિસેમ્‍બર સુધી ‘સુશાસન સપ્તાહ’ તરીકે ઉજવવામા આવી રહ્યું છે. જે સંદર્ભે દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ મુજબ પ્રશાસનના મહેસૂલ વિભાગ દ્વારા રખોલી ગામ ખાતે આગામી તા.25ી ડિસેમ્‍બરના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાન એક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, જાતિ-આવકના દાખલા અને ડોમિસાઇલ તથા આધારકાર્ડને લગતી અરજીઓ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ દ્વારા માપણી માટે નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ માટેની અરજીઓ, લગ્ન નોંધણી માટે અરજીઓ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રેશનકાર્ડની અરજીઓ, દાનહ ડીડી એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍શિયલ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લીમિટેડ દ્વારા પશુ ખરીદી માટે લોન અને અરજીઓ તથા જીલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્‍શન માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
ઉપરોક્‍ત દરેક અરજીઓ સવારે દસ વાગ્‍યાથી બપોરે દોઢ વાગ્‍યા દરમ્‍યાન જ સ્‍વીકારવામાં આવશે. આ શિબિરમાં પી.ડબ્‍લ્‍યુ.ડી. અને વિદ્યુત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિતરહેશે.

Related posts

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

Leave a Comment