(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા આગામી 25મી ડિસેમ્બર,2021ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને ‘સુશાસનદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા તા. 20 થી 25 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ તરીકે ઉજવવામા આવી રહ્યું છે. જે સંદર્ભે દાદરા નગર હવેલીના કલેક્ટરશ્રીના દિશા-નિર્દેશ મુજબ પ્રશાસનના મહેસૂલ વિભાગ દ્વારા રખોલી ગામ ખાતે આગામી તા.25ી ડિસેમ્બરના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન એક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, જાતિ-આવકના દાખલા અને ડોમિસાઇલ તથા આધારકાર્ડને લગતી અરજીઓ, સર્વે અને બંદોબસ્ત વિભાગ દ્વારા માપણી માટે નકશાની નકલ, સ્પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ માટેની અરજીઓ, લગ્ન નોંધણી માટે અરજીઓ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રેશનકાર્ડની અરજીઓ, દાનહ ડીડી એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્શિયલ અને ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમિટેડ દ્વારા પશુ ખરીદી માટે લોન અને અરજીઓ તથા જીલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્શન માટે અરજીઓ સ્વીકારવામાં આવશે.
ઉપરોક્ત દરેક અરજીઓ સવારે દસ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા દરમ્યાન જ સ્વીકારવામાં આવશે. આ શિબિરમાં પી.ડબ્લ્યુ.ડી. અને વિદ્યુત વિભાગના અધિકારીઓ ઉપસ્થિતરહેશે.