January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રથયાત્રા જે ભગવાન જગન્નાથ મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલ હિંદુ તહેવાર છે જે અષાઢ સુદ બીજના દિવસે ખૂબ જ ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્‍યારે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઈ શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધો. 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો 1 થી 5 અને 7 માં ડ્રોઈંગ સ્‍પર્ધા તેમજ ધોરણ 6 અને 8 માટે ક્રાફટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ સરસ મજાના મોટાભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથના ચિત્રો બનાવ્‍યા હતા.
સ્‍પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીયઅને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ધો.1 માં હયા જે ચૌધરી, ધો. 2 માં જય સી ખોખર, ધો.3 માં જાનવી એચ ચાવડા, ધો.4 માં નિધિ એ. ચોચા, ધો.પ માં કૌશલ કે. ભંડેરી, ધો.6 માં ખુશી જે પરમાર ધો.7 માં ખુશ જે સિદ્ધપુરા, ધો. 8 માં મહેક એન પોપાણિયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ આ સર્વે વિદ્યાર્થીઓને મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણ, ડિરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ અને તમામ શિક્ષકગણો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment