August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી માટે રજા આપવાનો ઠરાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા આજે સોમવારે તાલુકા પંચાયતની કચેરીમાં યોજાઈ હતી. જેમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્‍યા હતા.
તા.પં.ની સામાન્‍ય સભામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ઈમરજન્‍સી સિવાયના સરકારી વિભાગો, કંપનીઓ અને સંસ્‍થામાં રજા રાખવાનો ઠરાવ કરાયો હતો. શિક્ષકોને શૈક્ષણિક કામ સિવાય અન્‍ય સરકારી કામગીરી કરાવાય છે તે બંધ રાખી માત્ર શૈક્ષણિક કામગીરી શિક્ષકો કરે તેવીકેટલાક સભ્‍યોએ રજૂઆત કરી હતી. સ્‍માર્ટ મીટર પ્રોજેક્‍ટ પંચાયતોમાં ઠરાવ કરી કામગીરી કરવામાં આવે તેની જીઈબીને જાણ કરવી. વાપી-શામળાજી ને.હા.ના રોડનો મુદ્દો પણ સામાન્‍ય સભામાં સભ્‍યોએ ઉઠાવ્‍યો હતો. કરવડથી ખાનપુર સુધી રૂા.22.50 કરોડનો રોડમાં ભ્રષ્‍ટાચાર થયાની લેખિત ફરિયાદ પણ કરાઈ હતી. રોડ ઉપર ખાડેખાડા પડી ગયા છે. આદિમજુથના આવાસો તાત્‍કાલિક સર્વે કરી બાકી રહેલાઓને આવાસ મળે. કેટલીક શાળા જર્જરીત ઓરડાઓનો મુદ્દો પણ ચગ્‍યો હતો. અનેક શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેવી અનેક બાબતો સામાન્‍ય સભામાં રજૂ થઈ હતી.

Related posts

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્‍ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

Leave a Comment