October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્‍તરમાં વધારો થયો છે. રાજ્‍યમાં વરસાદી માહોલ વચ્‍ચે છેલ્લા 24 કલાક દરમિયાનદક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. ગત રાત્રીએ અંબિકા અને કાવેરી નદીના જળસ્‍તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્‍તારોના નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની ફરજ પડી હતી. રાત્રી દરમિયાન જ કુલ-966 નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. આજરોજ સવારે કેટલાક સ્‍થળોએ પાણી ઉતરતા કુલ-721 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્‍યારે હાલની સ્‍થિતીએ 245 નાગરિકો હજી પણ આશ્રયસ્‍થળ ઉપર સુરક્ષિત છે. આટલુ જ નહી સ્‍થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્‍તુઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્‍તો, ભોજનના 2000 જેટલા ફુડ પેકેટ, સ્‍વચ્‍છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્‍ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્‍યા છે.
અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના સોનવાડી, તલીયારા, ભાઠા, ઉંડાચ વા.ફ., બીલીમોરા નગર પાલીકા, દેસરા, ઉંડાચ લુ.ફ., દેવધા, તોરણગામ, અજરાઇ, ધમડાછા, વાધરેચ, અમલસાડ, ખખવાડા, સરીખુર્દ, મોરલી, આંતલીયા ગામનાનાગરિકોને સ્‍થળાંતરીત કરવામાં આવ્‍યા હતા. આ નાગરિકો માટે અંદાજીત 2000 જેટલા ફુડ પેકેટની વ્‍યવસ્‍થા વિવિધ ગ્રામ પંચાયત, નવનાથ આશ્રમ દેવસર, જલારામ માનવ સેવા ટ્રસ્‍ટ-બીલીમોરા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે કહ્યું તે કર્યું: પોતાની કલ્‍પનાના પ્રદેશ નિર્માણ માટે અનેક વિટંબણા સાથે બાથ ભીડી દાનહ અને દમણ-દીવની કાયાપલટ માટે મેળવેલી સફળતા

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

Leave a Comment