April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્‍તરમાં વધારો થયો છે. રાજ્‍યમાં વરસાદી માહોલ વચ્‍ચે છેલ્લા 24 કલાક દરમિયાનદક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. ગત રાત્રીએ અંબિકા અને કાવેરી નદીના જળસ્‍તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્‍તારોના નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની ફરજ પડી હતી. રાત્રી દરમિયાન જ કુલ-966 નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. આજરોજ સવારે કેટલાક સ્‍થળોએ પાણી ઉતરતા કુલ-721 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્‍યારે હાલની સ્‍થિતીએ 245 નાગરિકો હજી પણ આશ્રયસ્‍થળ ઉપર સુરક્ષિત છે. આટલુ જ નહી સ્‍થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્‍તુઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્‍તો, ભોજનના 2000 જેટલા ફુડ પેકેટ, સ્‍વચ્‍છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્‍ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્‍યા છે.
અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના સોનવાડી, તલીયારા, ભાઠા, ઉંડાચ વા.ફ., બીલીમોરા નગર પાલીકા, દેસરા, ઉંડાચ લુ.ફ., દેવધા, તોરણગામ, અજરાઇ, ધમડાછા, વાધરેચ, અમલસાડ, ખખવાડા, સરીખુર્દ, મોરલી, આંતલીયા ગામનાનાગરિકોને સ્‍થળાંતરીત કરવામાં આવ્‍યા હતા. આ નાગરિકો માટે અંદાજીત 2000 જેટલા ફુડ પેકેટની વ્‍યવસ્‍થા વિવિધ ગ્રામ પંચાયત, નવનાથ આશ્રમ દેવસર, જલારામ માનવ સેવા ટ્રસ્‍ટ-બીલીમોરા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

Leave a Comment