April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
સેલવાસ નગરપાલિકા દ્વારાયાત્રી નિવાસથી પીપરીયા રીંગરોડ પર ગેરકાયદેસર રીતે લારી અને દુકાનો ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા શહેરના અંદાજીત 1285 પથ વિક્રેતાઓને ડીજીટલ ઓળખપત્ર આપવામા આવેલ છે જે પથવિક્રેતાઓ પાસે અન્‍ય પણ આવકના સ્‍તોત્ર છે તેવા 130 લોકોને નોટિસ આપવામા આવેલ છે.એની સાથે પાલિકા વિસ્‍તારમા ગેરકાયદેસર ધંધો કરનાર લોકાનું પ્રમાણ વધી રહ્યુ છે જેઓ સામે કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ દ્વારા યાત્રીનિવાસથી લઈ પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધીમાં 16 ગેરકાયદેસર લારી અને દુકાનો સામે કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા વિસ્‍તારમાં પથવિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર મેળવી લેવુ અનિવાર્ય છે જેઓ સામે ઓળખપત્ર નહી હશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. પાલિકા દ્વારા દરેકને નિવેદન કરવામા આવ્‍યું છે કે, કોઈપણ પથ વિક્રેતા જીવિકા સરંક્ષણ અને પથવિક્રયના વિનિયમન અધિનિયમ 2014નો ઉલ્લંઘન કરતા ધ્‍યાનમાં આવે તો ઓનલાઈન અથવા તો હેલ્‍પલાઇન નંબર 83472611 પર ફરિયાદ કરી શકાશે.

Related posts

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

Leave a Comment