વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૫ણ સંપર્ક નંબર ૨૪૩૨૩૮ અને ૨૪૦૨૧૨ તેમજ ટોલ ફ્રી નંબર ૧૦૭૭ શરુ કરાયા
વલસાડઃ તા. ૨૪: ભારત સરકારે વર્તમાન પરિસ્થિતિમાં યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇન દિલ્હી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના સંપર્ક નં.+૯૧૧૧૨૩૦૧૨૧૧૩, +૯૧૧૧૨૩૦૧૪૧૦૪, +૯૧૧૧૨૩૦૧૭૯૦૫, ૧૮૦૦૧૧૮૭૯૭ છે. આ સાથે situationonroom@mea.gov.in ઉપર ઇમેલ પણ કરી શકાશે. ઉપરાંત યુક્રેન સ્થિત ભારતીફ દૂતાવાસમાં મદદ માટે +૩૮૦૯૯૭૩૦૦૪૨૮, +૩૮૦૯૯૭૩૦૦૪૮૩ નંબર ઉપર ફોન તેમજ ઉપર cons1.kyiv@mea.gov.in ઇમેઇલ કરી શકાશે. વધુમાં રાજ્યના ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના ફોન નંબર ૦૭૯-૨૩૨૫૧૩૧૨ અને ૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકશે. આ બાબતો ધ્યાને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ૨૪૦૨૧૨ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા માટે જિલ્લા કલેક્ટર વલસાડ તરફથી જણાવાયું છે.