Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતપારડીવલસાડવાપી

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૫ણ સંપર્ક નંબર ૨૪૩૨૩૮ અને ૨૪૦૨૧૨ તેમજ ટોલ ફ્રી નંબર ૧૦૭૭ શરુ કરાયા

વલસાડઃ તા. ૨૪: ભારત સરકારે વર્તમાન પરિસ્‍થિતિમાં યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી છે. આ હેલ્‍પલાઇન દિલ્‍હી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્‍યો છે. જેના સંપર્ક નં.+૯૧૧૧૨૩૦૧૨૧૧૩, +૯૧૧૧૨૩૦૧૪૧૦૪, +૯૧૧૧૨૩૦૧૭૯૦૫, ૧૮૦૦૧૧૮૭૯૭ છે. આ સાથે situationonroom@mea.gov.in ઉપર ઇમેલ પણ કરી શકાશે. ઉપરાંત યુક્રેન સ્‍થિત ભારતીફ દૂતાવાસમાં મદદ માટે +૩૮૦૯૯૭૩૦૦૪૨૮, +૩૮૦૯૯૭૩૦૦૪૮૩ નંબર ઉપર ફોન તેમજ ઉપર cons1.kyiv@mea.gov.in ઇમેઇલ કરી શકાશે. વધુમાં રાજ્‍યના ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્‍ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાનના ફોન નંબર ૦૭૯-૨૩૨૫૧૩૧૨ અને ૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકશે. આ બાબતો ધ્‍યાને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ૨૪૦૨૧૨ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા માટે જિલ્લા કલેક્‍ટર વલસાડ તરફથી જણાવાયું છે.

Related posts

વાપી ચલા દમણ રોડ ઉપર કાર્યરત લોકમેળાની વહિવટી તંત્રએ તપાસણી બાદ ચાલુ રાખવાની છૂટ આપી

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

Leave a Comment