October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.27: સ્‍વ. શ્રી ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ પોપટલાલ ગુટકા અને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ચુનીલાલ ગુટકા તરફથી મંગળવાર, તા.27-08-2024ના રોજ વિરાર થી વાપીના રહેવાસીઓ માટે માત્ર 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે તદ્‌ન નિઃશુલ્‍ક/નિસ્‍વાર્થ ભાવે એક દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.
આ યાત્રા પ્રવાસ નેરૂલ-લોનાવાલા જશે. બસ મુંબઈથી સવારે 6 કલાકે ઉપડશે અને લોનાવાલાથી રાત્રે 8 વાગ્‍યે પરત ફરશે. સવારે નવકારશી, બપોરે ભોજન તેમજ સાંજે ચા-કોફી, ચોવિહાર, એકાસણા, બિયાસણા, આયંબિલ, વર્ષીતપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સંપૂર્ણ દિવસ મિનરલ વોટર આપવામાં આવશે. માત્ર એક જ બસ છે તેથી બુકીંગ વહેલા તે પહેલાના ધોરણેકરવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે, યાત્રા દરમિયાન લોનાવાલાની ગૌશાળામાં લઈ જવામાં આવશે. બસમાં ચઢવા-ઉતરવા માટે નાના દાદરની વ્‍યવસ્‍થા રાખેલ છે, બપોરે જમ્‍યા પછી એક કલાક આરામ કરવાનું રહેશે. સંઘપૂજન કરવામાં આવશે. જેમણે પણ સેવા-પૂજા કરવી હોય તેઓએ પૂજાના કપડા સાથે રાખવા નમ્ર વિનંતી છે. (ફક્‍ત એક જ જગ્‍યાએ સેવા-પૂજા કરવાની રહેશે.) એક વાર નામ લખાવ્‍યા પછી કેન્‍સલ ન કરવા વિનંતી છે. બુકિંગ માટે કૃપા કરીને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ગુટકા- પ્રભાદેવી +91 7304472581 નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

Leave a Comment