Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.27: સ્‍વ. શ્રી ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ પોપટલાલ ગુટકા અને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ચુનીલાલ ગુટકા તરફથી મંગળવાર, તા.27-08-2024ના રોજ વિરાર થી વાપીના રહેવાસીઓ માટે માત્ર 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે તદ્‌ન નિઃશુલ્‍ક/નિસ્‍વાર્થ ભાવે એક દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.
આ યાત્રા પ્રવાસ નેરૂલ-લોનાવાલા જશે. બસ મુંબઈથી સવારે 6 કલાકે ઉપડશે અને લોનાવાલાથી રાત્રે 8 વાગ્‍યે પરત ફરશે. સવારે નવકારશી, બપોરે ભોજન તેમજ સાંજે ચા-કોફી, ચોવિહાર, એકાસણા, બિયાસણા, આયંબિલ, વર્ષીતપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સંપૂર્ણ દિવસ મિનરલ વોટર આપવામાં આવશે. માત્ર એક જ બસ છે તેથી બુકીંગ વહેલા તે પહેલાના ધોરણેકરવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે, યાત્રા દરમિયાન લોનાવાલાની ગૌશાળામાં લઈ જવામાં આવશે. બસમાં ચઢવા-ઉતરવા માટે નાના દાદરની વ્‍યવસ્‍થા રાખેલ છે, બપોરે જમ્‍યા પછી એક કલાક આરામ કરવાનું રહેશે. સંઘપૂજન કરવામાં આવશે. જેમણે પણ સેવા-પૂજા કરવી હોય તેઓએ પૂજાના કપડા સાથે રાખવા નમ્ર વિનંતી છે. (ફક્‍ત એક જ જગ્‍યાએ સેવા-પૂજા કરવાની રહેશે.) એક વાર નામ લખાવ્‍યા પછી કેન્‍સલ ન કરવા વિનંતી છે. બુકિંગ માટે કૃપા કરીને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ગુટકા- પ્રભાદેવી +91 7304472581 નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment