Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.27: સ્‍વ. શ્રી ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ પોપટલાલ ગુટકા અને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ચુનીલાલ ગુટકા તરફથી મંગળવાર, તા.27-08-2024ના રોજ વિરાર થી વાપીના રહેવાસીઓ માટે માત્ર 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે તદ્‌ન નિઃશુલ્‍ક/નિસ્‍વાર્થ ભાવે એક દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.
આ યાત્રા પ્રવાસ નેરૂલ-લોનાવાલા જશે. બસ મુંબઈથી સવારે 6 કલાકે ઉપડશે અને લોનાવાલાથી રાત્રે 8 વાગ્‍યે પરત ફરશે. સવારે નવકારશી, બપોરે ભોજન તેમજ સાંજે ચા-કોફી, ચોવિહાર, એકાસણા, બિયાસણા, આયંબિલ, વર્ષીતપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સંપૂર્ણ દિવસ મિનરલ વોટર આપવામાં આવશે. માત્ર એક જ બસ છે તેથી બુકીંગ વહેલા તે પહેલાના ધોરણેકરવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે, યાત્રા દરમિયાન લોનાવાલાની ગૌશાળામાં લઈ જવામાં આવશે. બસમાં ચઢવા-ઉતરવા માટે નાના દાદરની વ્‍યવસ્‍થા રાખેલ છે, બપોરે જમ્‍યા પછી એક કલાક આરામ કરવાનું રહેશે. સંઘપૂજન કરવામાં આવશે. જેમણે પણ સેવા-પૂજા કરવી હોય તેઓએ પૂજાના કપડા સાથે રાખવા નમ્ર વિનંતી છે. (ફક્‍ત એક જ જગ્‍યાએ સેવા-પૂજા કરવાની રહેશે.) એક વાર નામ લખાવ્‍યા પછી કેન્‍સલ ન કરવા વિનંતી છે. બુકિંગ માટે કૃપા કરીને શ્રીમતી કુમુદબેન હિતેશભાઈ ગુટકા- પ્રભાદેવી +91 7304472581 નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચોમાસામાં અવાર નવાર ડૂબાઉ કોઝ-વેથી સંર્પક વિહોણા થતાં ચીખલીના સતાડી ગામના પીપળા ફળિયાના લોકોની નવો પુલ બનાવવા ઉઠેલી માંગ

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment