July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

15 ઓગસ્‍ટ પછી કવાયત શરૂ થશે : પાલિકાનો સ્‍ટાફ બે વખત ગાંધીનગર ટ્રેનિંગ કરી આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ટૂંક સમયમાં મહાનગરપાલિકા બને એવા એંધાણ અને હલચલ શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે. નાણામંત્રીએ વાપી સહિત 8 મહાનગરપાલિકાની બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં જાહેરાત કરી હતી તે મુજબ હવે ધીરે ધીરે આ દિશામાં કામગીરી આગામી 15મી ઓગસ્‍ટ પછી હાથ ધરાશે તે નક્કી છે. અત્‍યારે પાલિકામાં મહાનગરપાલિકાનું બોર્ડ પણ લાગી ગયું છે.
વાપી પાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થાય ત્‍યારે બે સવાલ ઉભા થાય છે કે પ્રથમ મહાનગરપાલિકાના મેયર કોણ હશે? અને બીજો સવાલ એ છે કે કેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે? આ માટે ભાજપમાં દાવેદારોની સંખ્‍યા પણ વધુ છે. તેનું રાજકીય લોબીંગ પણ શરૂ થઈ જશે. બીજી તરફ સરકારમાં મહાનગરપાલિકાના અમલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અત્‍યાર સુધીમાં પાલિકાનો સ્‍ટાફ બે વાર ગાંધીનગરમાં ટ્રેનિંગ માટે જઈ આવ્‍યો છે. તાજેતરમાં પાલિકાની સામાન્‍ય સભા મળી હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની નિમણૂંક કરી દેવાઈ છે. પરંતુ આ નિમણૂંક ઔપચારિક બની રહે છે. સંભવિત પાલિકાની આ અંતિમ સામાન્‍ય સભા પણ બની રહેશે. બીજુ પાલિકાનીસામાન્‍ય સભામાં હાઈવે ઉપર મહાનગરપાલિકા બનાવા જમીન અંગેનો પણ ઠરાવ કરવામાં આવી ચૂક્‍યો છે. ટૂંકમાં ચોમેરથી વાપી મહાનગરપાલિકા બનવાની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

Related posts

દાનહ-દમણ-દીવની ગર્લ્‍સ ટીમ આંતરરાષ્‍ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલની ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા દિલ્‍હી રવાના

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

Leave a Comment