April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્‍વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે રેન્‍જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત-5 જાન્‍યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી અને સામાજીક શોષણ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે વી.આઈ.એ. હોલ સુરત રેન્‍જ આઈજી પિયુષ પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની વિશિષ્‍ઠ ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વી.આઈ.એ.ના માનદ સેક્રેટરી સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ સહિત આગેવાન ઉદ્યોગપતિ, સામાજીક, રાજકીય કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઈ.જી. પિયુષ પટેલે જણાવ્‍યું હતું કે, વ્‍યાજખોરી સમાજનું દુષણ છે. જેને ડામવા માટે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 કાર્યરત છે. શોષિત લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. લોકો આગળ આવે તો જ સાચા અર્થમાં આ જનસંપર્ક કાર્યક્રમ સફળલેખાશે. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અન્‍ય પ્રશ્નો પણ લોકોએ રજૂ કર્યા હતા.

Related posts

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment