Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્‍વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે રેન્‍જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત-5 જાન્‍યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી અને સામાજીક શોષણ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે વી.આઈ.એ. હોલ સુરત રેન્‍જ આઈજી પિયુષ પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની વિશિષ્‍ઠ ઉપસ્‍થિતિમાં લોકાભિમુખ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વી.આઈ.એ.ના માનદ સેક્રેટરી સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ સહિત આગેવાન ઉદ્યોગપતિ, સામાજીક, રાજકીય કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઈ.જી. પિયુષ પટેલે જણાવ્‍યું હતું કે, વ્‍યાજખોરી સમાજનું દુષણ છે. જેને ડામવા માટે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 કાર્યરત છે. શોષિત લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. લોકો આગળ આવે તો જ સાચા અર્થમાં આ જનસંપર્ક કાર્યક્રમ સફળલેખાશે. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અન્‍ય પ્રશ્નો પણ લોકોએ રજૂ કર્યા હતા.

Related posts

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાઈ: – ગ્રામ પંચાયત મજબૂત થશે તો દેશ મજબૂત થશેઃ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

Leave a Comment