March 4, 2026
Vartman Pravah
દમણ

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

યુવા ધારાશાસ્ત્રી સ્મિતા સુરતીઍ આપેલું મનનીય માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૩૧
રવિવારે ‘પ્રયાસથી પરિવર્તન’ની સહયાત્રાની કડીમાં દમણના ઍડવોકેટ બાર ઍસોસિઍશન દ્વારા વિવિધ પંચાયત વિસ્તારોમાં મફત કાનૂની સલાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડા ગ્રામ પંચાયતના લોકોને કાનૂની સલાહ ધારાશાસ્ત્રી શ્રીમતી સ્મિતા સુરતી દ્વારા આપવામાં આવી હતી.
ધારાશાસ્ત્રી શ્રીમતી સ્મિતા સુરતીઍ ઉપસ્થિત લોકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, અનુ.જાતિ અને જનજાતિ તથા જરૂરિયાતમંદ લોકો માટે અદાલતમાં મફત કાનૂની સલાહ આપવામાં આવે છે. જેનો લાભ લેવા તેમણે આહ્વાન કયુ* હતું. તેમણે આજે કાનૂની સલાહના કાર્યક્રમમાં બહેનો અને ભાઈઅોને તેમની પ્રોપર્ટીના કેસ, છેતરપીંડી, વિશ્વાસઘાત જેવા કેસો અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને પરિયારીના સરપંચ શ્રીમતી પંક્તિબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કયુ* હતું. આ કાર્યક્રમમાં પરિયારી વિભાગના જિ.પં.સભ્ય શ્રીમતી ઈશુબેન પટેલ, પરિયારીના ઉપ સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, દમણવાડાના શ્રી વિષ્ણુભાઈ બાબુ સહિત પંચાયત સભ્યો અને કાનૂની સલાહ માટે આવેલા લોકો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment