July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

ડો. પરમારે ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રમાં ડિજિટલ ગેમ્‍સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્‍ય વિકાસ, સાંસ્‍કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેની આપેલી સમજ

પરિસંવાદમાં 304 પ્રતિભાગીઓએ કરાવેલું રજીસ્‍ટ્રેશનઃ 180 પેપરો થયા હતા સબમિટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા(સુરત) દ્વારા ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા અને તેની સામેના પડકારો’ વિષય ઉપર આયોજીત એક દિવસીય રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ)ના આસિસ્‍ટન્‍ટ લેક્‍ચરર ડૉ. પ્રશાંતસિંહ કિશોરસિંહ પરમારે રજૂ કરેલ ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રને પ્રથમ નંબર એનાયત કરાયો છે.
રાજ્‍યકક્ષાના એક દિવસીય સેમિનારમાં 304 પ્રતિભાગીઓએ પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું અને 180 પેપર સબમિટ થયા હતા. જેમાં સંઘપ્રદેશની ‘ડાયટ’ના આસિસ્‍ટન્‍ટ પ્રાધ્‍યાપક ડૉ. પ્રશાંતસિંહ કિશોરસિંહપરમારને પ્રથમ નંબર એનાયત કરાયો છે.
ડૉ. પ્રશાંતસિંહ પરમારે પોતાના શોધપત્રમાં ડિજિટલ ગેમ્‍સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્‍ય વિકાસ, સાંસ્‍કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેને સમજાવી હતી. તેમણે સ્‍પેનિશ, મંડારી જેવી ભાષાઓના ડિજિટલ ગેમ્‍સના માધ્‍યમથી ગુજરાતી માટે શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવાનો વિચાર પણ ઉદાહરણ દ્વારા સમજાવ્‍યો હતો. જેમાં ‘ડૂઓલીંગો’ જેવા એપ્‍લીકેશનના માળખા મુજબ ગુજરાતી શીખવા માટે મલ્‍ટીપલ ચોઈસ પ્રશ્નો પણ શબ્‍દોની રમતોનું મોડેલ તૈયાર કરી શકાતુ હોવાનો પણ પોતાનો મત રજૂ કર્યો હતો.

Related posts

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment