July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: દમણમાં વસતા પ્રવાસી રાજસ્‍થાની લોકોની સંસ્‍થા રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા આજે નિર્જલા એકાદશી નિમિત્તે મશાલ ચોક ખાતે કેમ્‍પ રાખ્‍યો હતો અને ત્‍યાંથી પસાર થતા લોકોને ઠંડી મસાલેદાર છાશ આપવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ પીને લોકોએ રાહત અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે જ્‍યેષ્ઠ શુકલ પક્ષની એકાદશીના રોજ નિર્જલા એકાદશીનો તહેવાર શ્રધ્‍ધાપૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો. શહેરના મંદિરોમાં ભક્‍તોની ભીડ જામી હતી. વર્ષમાં એક જ વાર આવતી નિર્જલા એકાદશીના મહાન ધાર્મિક મહત્‍વને સમજીને લોકો ગૌશાળાઓમાં ગયા અને પૂરા દિલથી પરોપકાર કાર્ય કર્યું હતું અને કેટલીક સામાજિક સંસ્‍થાઓના લોકોએ કેમ્‍પ લગાવી રાહદારીઓને ઠંડી મસાલેદાર છાશ પીવડાવવામાં આવી હતી જેનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે રાજસ્‍થાન સેવા સંઘના પ્રમુખ શ્રી ગુલાબ સિંહ ભાયલ, યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ ઉમેશભાઈ પટેલ, કોમી એકતા મંચ વાપી-દમણ-સેલવાસના પ્રમુખ ખાલિદભાઈ સિરોહા, સંઘના સચિવ શ્રી ઈશ્વરભાઈ પુરોહિત, શ્રી નાથુલાલ શર્મા, શ્રી જટાશંકર શર્મા, શ્રી લીલાધરજાંગિડ, શ્રી નારાયણ લાલ જાંગિડ, શ્રી પ્રકાશ, શ્રી મનોજ, શ્રી સુરેશ સૈન સહિત કાર્યકર્તાઓએ તેમની સેવા આપી હતી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

વાપી બલીઠા ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતા કામદારનું પટકાતા મોત

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment