October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું કરેલું આયોજન

આંટિયાવાડ ગ્રામ પંચાયતની અંદરના સ્‍ટ્રીટ રોડ ઉપર ટેબલ-ખુરશી લગાવી વિદ્યાર્થીઓને સફેદ ટી-શર્ટ અને પેઈન્‍ટિંગના સાધનો આપી ઉર્વશીબેન પટેલે સ્‍પર્ધકોને દેશભક્‍તિની ભાવનાઓથી ભરપુર પોતાની ચિત્રકારી કરવા પ્રોત્‍સાહિત કરી તમામને પ્રમાણપત્ર અને પુરસ્‍કારથી પુરસ્‍કૃત પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે આજે પાંચમા દિવસે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકોમાં દેશભક્‍તિની ભાવના પેદા કરવા અને આઝાદીનો ઉત્‍સાહ વધારવા અંદરના સ્‍ટ્રીટ રોડ ઉપર ટેબલ-ખુરશી લગાવી વિદ્યાર્થીઓને સફેદ ટી-શર્ટ અને પેઈન્‍ટિંગના સાધનો આપી સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે સ્‍પર્ધકોને દેશભક્‍તિની ભાવનાઓથી ભરપુર પોતાની ચિત્રકારી કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને જાહેરમાં સફેદ ટી-શર્ટ ઉપર પેઈન્‍ટિંગ કરતાજોઈ લોકોના ચહેરા પણ પ્રફુલ્લિત બન્‍યા હતા. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, જાહેરમાં વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધા રાખવાનો ઉદ્દેશ વધુમાં વધુ લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી માહિતગાર કરવા અને દેશના આઝાદીના પર્વને ધામધૂમથી મનાવવા પ્રેરિત કરવાનો હતો.
આંટિયાવાડ ગ્રામ પંચાયતના શ્રીમતી ઉર્વશીબેન પટેલે ગ્રામજનોને તા.9 થી 15 ઓગસ્‍ટ સુધી ચાલનારા ‘હર ઘર તિરંગા’ ઉત્‍સવમાં સામેલ થઈ પોતાના ઘરો, દુકાનો તથા કાર્યસ્‍થળ ઉપર રાષ્‍ટ્રધ્‍વજ તિરંગો ફરકાવી સ્‍વતંત્રતા દિનના પર્વની દબદબાભેર ઉજવણી કરવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

Leave a Comment