March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

હવે પીપરિયા બ્રિજના બંને છેડે સેલવાસ ન.પા. અને પોલીસ નજર રાખશેઃ કચરો ફેંકી જનારા સામે સખત કાર્યવાહીની સાથે રૂા.1000નો દંડ પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસના પ્રવેશ દ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા ડુંગરની લેખિત જાણકારી વલસાડ જિલ્લા કલેક્‍ટરને આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા છેવટે આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જેસીબી અને પોતાના સફાઈકર્મીઓની મદદથી સાફ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર તથા અધિકારીઓએ પીપરિયા પુલની મુલાકાત લઈ સ્‍થિતિની સમીક્ષા કરી હતી. ગંદકી અને કચરાના ઉભરાયેલા ડુંગર જોતાં તાત્‍કાલિક સેલવાસ પાલિકાને સાફ-સફાઈ કરવા નિર્દેશ આપ્‍યો હતો. જેના અનુસંધાનમાં સેલવાસ પાલિકાએ જેસીબી અને પોતાના કર્મીઓની મદદથી ગંદકીના ડુંગર હટાવી લીધા હતા.
સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ લવાછા ગ્રામ પંચાયત તથા સ્‍થાનિકોને સૂચના આપતાં જણાવ્‍યું છે કે, આ પુલના બંને છેડે પોલીસ અને સેલવાસ ન.પા.નાકર્મચારીઓ નજર રાખશે અને પીપરિયા બ્રિજના બંને કિનારે કચરો ફેંકી જનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તથા કચરો ફેંકનાર સામે રૂા.1000નો દંડ પણ વસૂલ કરાશે.
અત્રે નોંધનીય છે કે, મોટી સંખ્‍યામાં લવાછા ગામના રહેવાસીઓ દ્વારા પીપરિયા બ્રિજના બંને કિનારે પોતાના ઘરનો કચરો ફેંકી જવાના કારણે સર્જાયેલા ગંદકીના ડુંગરથી કેન્‍દ્રના મકાન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજીત સ્‍વચ્‍છ સર્વેક્ષણમાં સેલવાસ પાલિકાના રેંકિંગમાં નકારાત્‍મક અસર થવાની સાથે વલસાડ જિલ્લાની છબી પણ ખરાબ થઈ રહી છે.

Related posts

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍માર્ટ મીટર મુદ્દે આંશિક રાહત

vartmanpravah

Leave a Comment