April 25, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍થાનિક આદિવાસીઓએ સ્‍ટોલ લગાવી આર્થિક રીતે સ્‍વાવલંબી બનવાના મોડેલનો પણ આપેલો પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રૂદાના ખાતે હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત આનંદ મેળાનું ઉદ્‌ઘાટન પ્રદેશના સુપ્રસિદ્ધ ધારાશાષાી અને ડીએનએચ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભિમરાએ કર્યુ હતું.
સુપ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભિમરાના જણાવ્‍યાપ્રમાણે છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍ટોલ સ્‍થાનિક અને આદિવાસી સમુદાય દ્વારા સંચાલિત હોય છે. આ મેળાનું આયોજન સંપૂર્ણ રીતે ગ્રામવાસીઓના સંચાલન હેઠળ થઈ રહ્યું છે.
રૂદાનાના પૂર્વ સરપંચ શ્રી સંદિપભાઈ ચીંબડાના કુશળ નેતૃત્‍વમાં હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશન વતી કરવામાં આવી રહ્યું છે.
ગ્રામવાસીઓને આર્થિક રીતે સ્‍વાવલંબી બનવા માટે આ મોડેલ ઉપયોગી હોવાની ભાવના પણ શ્રી સની ભિમરાએ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment