Vartman Pravah
Breaking Newsસેલવાસ

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍થાનિક આદિવાસીઓએ સ્‍ટોલ લગાવી આર્થિક રીતે સ્‍વાવલંબી બનવાના મોડેલનો પણ આપેલો પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રૂદાના ખાતે હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત આનંદ મેળાનું ઉદ્‌ઘાટન પ્રદેશના સુપ્રસિદ્ધ ધારાશાષાી અને ડીએનએચ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભિમરાએ કર્યુ હતું.
સુપ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભિમરાના જણાવ્‍યાપ્રમાણે છેલ્લા ચાર વર્ષથી કાર્યરત આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્‍ટોલ સ્‍થાનિક અને આદિવાસી સમુદાય દ્વારા સંચાલિત હોય છે. આ મેળાનું આયોજન સંપૂર્ણ રીતે ગ્રામવાસીઓના સંચાલન હેઠળ થઈ રહ્યું છે.
રૂદાનાના પૂર્વ સરપંચ શ્રી સંદિપભાઈ ચીંબડાના કુશળ નેતૃત્‍વમાં હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશન વતી કરવામાં આવી રહ્યું છે.
ગ્રામવાસીઓને આર્થિક રીતે સ્‍વાવલંબી બનવા માટે આ મોડેલ ઉપયોગી હોવાની ભાવના પણ શ્રી સની ભિમરાએ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

Leave a Comment