(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરનું આયોજન તા.28મી ઓગસ્ટના રોજ કરજગામ અને કલા માટે સબ સેન્ટર કરજગામ ખાતે આયોજીત કરાશે, તા.29મી ઓગસ્ટના રોજ ખેરડી ગામના લોકો માટે નવા પંચાયત ઘરમા, અને 30 ઓગસ્ટના રોજ ડોલારા અને પરઝાઈ ગામ માટે શિવપાડા આંગણવાડી, ડોલારા ખાતે આયોજીત કરાશે. અત્રે આયોજીત શિબિરમાં મામલતદાર ઓફિસ દ્વારા જાતી-આવક સહિતના વિવિધ દાખલાઓ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગ દ્વારા રાશનકાર્ડ અને ગેસ કનેક્શન, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ, કૃષિ વિભાગ, ડીએનએચ પીડીસીએલ દ્વારા નવા વીજ કનેક્શન, સોશિયલ વેલ્ફેર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ નોડલ ઓફિસર યુઆઈડીએઆઈ ઉપસ્થિત રહેશે.
આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને લાભ લેવા માટે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.