April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર શ્રી અને પીઆઇ શ્રી ધરમપુરને ધરમપુર તાલુકામાં આવેલ દરેક ચિકનશોપની દુકાનોમાં મળતું (ચીકન) માસની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
હાલે ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચિકન શોપની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. જે આશરે 14 કિલોથી વધારે ગૌમાંસ હોય તો મને એવું લાગે છે કે આ ચિકન શોપમાંથી અન્‍ય જગ્‍યાએ પણ સપ્‍લાય કરવામાં આવતું હોઈ શકે કારણકે આખે આખી ગાયનું ગૌમાંસને એક જ જગ્‍યાએથી બધું જ વેચાઈ જવું પોસિબલ નથી. ધરમપુરની અનેક એવી સોપ હશે. જ્‍યાં આ વ્‍યક્‍તિદ્વારા ગૌમાંસ સપ્‍લાય કરવામાં આવતું હશે. જેથી ધરમપુર તાલુકાની બજારમાં આવેલ તમામ ચિકન શોપ આજુબાજુ વિસ્‍તારમાં આવેલ ચિકન શોપમાં તપાસ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી વિસ્‍તારના લોકો ગાયનું દૂધ ભરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એવા અમારા આદિવાસી વિસ્‍તારમાં અનેક પરિવારો છે જેઓ ફક્‍ત ગાયના દૂધ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એટલે અમારા આદિવાસીઓ માટે ગાય એક માઁ સમાન છે, જેથી ધરમપુર તાલુકાની દરેક દુકાનોની તપાસ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા આવા કળત્‍ય કરનારની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવશે એવી ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment