October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત સુરત અહમદનગર હાઈવે માટે ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન માટે જાહેરનામું પણ બે એક વર્ષ પૂર્વે પ્રસિદ્ધ કરાયું હતું અને અવારનવાર સર્વે પણ કરાતા કેટલાક ગામોમાં ખેડૂતોએ વિરોધ કરતા ઘર્ષણના બનાવો પણ બન્‍યા હતા.
આ દરમિયાન રવિવારના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્‍યાના અરસામાં તાલુકાના કુકેરી સહિતના અને વાંસદાના ગામોના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરે ત્રણ ચાર ચક્કર મારતા લોકોમાં કૂતુહલ સર્જાવા પામ્‍યું હતું અને સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો. ભારતમાલા પ્રોજેક્‍ટ માટે હેલિકોપ્‍ટર દ્વારા સેટેલાઈટ સર્વે કરાવવામાં આવી રહ્યો હતો કે સેનાનું હેલિકોપ્‍ટર હતું તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠયા હતા અને અનેક ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી.
કુકેરીના અગ્રણી જયેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ગામમાં બપોરે સાડા ત્રણેક વાગ્‍યાનાઅરસામાં એક હેલિકોપ્‍ટર ત્રણ ચાર રાઉન્‍ડ માર્યા હતા અને હેલિકોપ્‍ટરના અવાજથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઉઠ્‍યો હતો.

Related posts

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

vartmanpravah

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment