October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

શ્રાવણ માસ હોવાથી 12 પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરાતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નજીક આવેલ કોચરવા કુંભાર ફળીયામાં નિર્માણ પામેલા તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો હતો. તા.29, 30 ઓગસ્‍ટના રોજ બે દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાષાોક્‍તવિધિ સાથે સ્‍થાપન પૂજા, આરતી અને દ્વાદશ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમમાં શાષાોક્‍તવિધિ પાર પાડનાર ગામના ગોર પ્રશિત ઈશ્વરલાલ જોષીએ જણાવ્‍યું હતું કે કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકો, ભાવિકોએ તુલજા ભવાની માતાજી મંદિરના જીર્ણોદ્ધારમાં પોતાનું યોગદાન આપ્‍યું છે. આજના પ્રસંગે હાલ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી 12 પાર્થિવ જ્‍યોર્તિલિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું હતું. સાથે સાથેઅભિષેકાત્‍મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામવાસીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને પાર્થિવ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કર્યું હતું.

Related posts

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment