March 2, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૨
દાનહના કરાડ ગામે આવેલ આર.આર.કેબલ કંપનીમાં સિદ્ધપ્રદ હનુમાન મંદિર ખાતે મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન અને મહર્ષિ વેદ વ્યાસ પ્રતિષ્ઠાન પુણે દ્વારા માન્યતા પ્રા ઉમા કાબરા વેદ વિદ્યાલય શુક્લ યજુર્વેદ અને શ્રીમદભગવદ ગીતા પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર કાબરાના પરિવારની ઉપસ્થિતીમાં ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.
શ્રી મહેન્દ્ર કાબરાઍ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા સાથે ભાગવત ગીતાના જ્ઞાન આ વિદ્યાલયમા આપવામા આપવામા આવશે. હિન્દુ સંસ્કૃતિમા સંસ્કૃતનું મહત્વ ઘણુ હોવાને કારણે વિદ્યાર્થીઓને વૈદિક જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામા આવશે. હાલમાં પાંચ વિદ્યાર્થીઓથી વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ભવિષ્યમા વધુ બાળકોને જ્ઞાન આપવામા આવશે. આ સ્કૂલ ધીમે ધીમે ઍક નવી ઊંચાઈઍ પહોંચશે. આ વિદ્યાલયમા રહેવા માટે છાત્રાવાસનું પણ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં હાલે વડોદરાના ૫ જેટલા વિદ્યાર્થીઓ રહીને આ સ્કૂલમા અભ્યાસ કરશે.ઓનલાઇન શિક્ષણને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની પણ વ્યવસ્થા રાખવામા આવી છે. આ અવસરે કંપનીના ગોપાલ લાખોટિયા ઉર્ફે મામાજી, શ્રી વિજય કંડલગાંવકર, શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈ, શ્રી સુરેશ અસાવા, શ્રી ગિરીશ પાંડા તેમજ પ્રબંધકો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઈંચથી વધુ વરસાદઃ દપાડામાં વૃક્ષ ઉખડી વીજ વાયર ઉપર પડતાં તૂટી પડેલા વાયરથી વ્‍યક્‍તિને કરંટ લાગતા ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment