(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના ડોકમરડી ખાતે ડો.એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત એનએસએસ ટીમના સહયોગ દ્વારા અમૃત કળશ યાત્રા વૃક્ષારોપણ અને પંચપ્રણ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભગવાન ઝાની અધ્યક્ષતામાં એનએસએસ દ્વારા અમૃત કળશયાત્રા કોલેજ પરિસરમાં કાઢવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાદમાં પંચપ્રણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.