(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાનહમાં નવા 02 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમાં હાલમાં 16 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 6277 કેસ રીકવર થઇ ચુકયા છે.ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 321 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 02વ્યક્તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 144 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. હાલમાં પ્રદેશમાં 02 કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે .આજરોજ 03દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતું. જેમા આજે 498લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમડોઝ 443169 અને બીજો ડોઝ 328398 વ્યક્તિઓને આપવામા આવ્યો છે. પ્રેકયુશન ડોઝ 2739 વ્યક્તિઓને આપવામા આવ્યા છે. કુલ 774306 લોકોને વેક્સીન આપવામા આવી છે.