December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને શુભેચ્‍છા વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ વર્ષથી દીવના ઘોઘલામાં પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર તેમની વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયા હતા. આજે તેમના માન-સન્‍માનમાં વિદાય સમારોહનું આયોજન સરકારી માધ્‍યમિક શાળા ખાતે કરવામાં આવ્‍યું હતું. ખુબ જ લોકચાહના તથા તેમની સુંદર ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ સેવાનિવૃત્ત પોસ્‍ટમેન શ્રી ડાહ્યાભાઈ પરમારનું શાલ ઓઢાડી, સ્‍મૃતિ ચિન્‍હ આપી તથા ફુલહાર પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી ડાહ્યાભાઈ પરમારે સન્‍માન સભારંભમાં ઉપસ્‍થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.
આ પ્રસંગેઉપસ્‍થિત ખારવા સમાજના પૂર્વ પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાએ શ્રી ડાહ્યાભાઈ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમણે વર્ષો પહેલાની યાદો-ઘટનાઓને વાગોળતા જણાવ્‍યું હતું કે પહેલાં લોકો ‘‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા” ગીતની જેમ આતુરતાથી પોસ્‍ટમેન(ટપાલી)ની રાહ જોતા હતા, ત્‍યારથી આજ સુધી શ્રી ડાહ્યાભાઈએ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી છે. આ પ્રસંગે ઉપસ્‍થિત પોસ્‍ટમાસ્‍ટરોએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી હતી, અને આગામી તેમનું જીવન તંદુરસ્‍ત, નિરોગી અને સુખમય રહે તેવી કામના કરી હતી.

Related posts

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment