June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને શુભેચ્‍છા વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ વર્ષથી દીવના ઘોઘલામાં પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર તેમની વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયા હતા. આજે તેમના માન-સન્‍માનમાં વિદાય સમારોહનું આયોજન સરકારી માધ્‍યમિક શાળા ખાતે કરવામાં આવ્‍યું હતું. ખુબ જ લોકચાહના તથા તેમની સુંદર ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ સેવાનિવૃત્ત પોસ્‍ટમેન શ્રી ડાહ્યાભાઈ પરમારનું શાલ ઓઢાડી, સ્‍મૃતિ ચિન્‍હ આપી તથા ફુલહાર પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી ડાહ્યાભાઈ પરમારે સન્‍માન સભારંભમાં ઉપસ્‍થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.
આ પ્રસંગેઉપસ્‍થિત ખારવા સમાજના પૂર્વ પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાએ શ્રી ડાહ્યાભાઈ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમણે વર્ષો પહેલાની યાદો-ઘટનાઓને વાગોળતા જણાવ્‍યું હતું કે પહેલાં લોકો ‘‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા” ગીતની જેમ આતુરતાથી પોસ્‍ટમેન(ટપાલી)ની રાહ જોતા હતા, ત્‍યારથી આજ સુધી શ્રી ડાહ્યાભાઈએ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી છે. આ પ્રસંગે ઉપસ્‍થિત પોસ્‍ટમાસ્‍ટરોએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી હતી, અને આગામી તેમનું જીવન તંદુરસ્‍ત, નિરોગી અને સુખમય રહે તેવી કામના કરી હતી.

Related posts

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

Leave a Comment