October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને શુભેચ્‍છા વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ વર્ષથી દીવના ઘોઘલામાં પોસ્‍ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર તેમની વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયા હતા. આજે તેમના માન-સન્‍માનમાં વિદાય સમારોહનું આયોજન સરકારી માધ્‍યમિક શાળા ખાતે કરવામાં આવ્‍યું હતું. ખુબ જ લોકચાહના તથા તેમની સુંદર ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ સેવાનિવૃત્ત પોસ્‍ટમેન શ્રી ડાહ્યાભાઈ પરમારનું શાલ ઓઢાડી, સ્‍મૃતિ ચિન્‍હ આપી તથા ફુલહાર પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી ડાહ્યાભાઈ પરમારે સન્‍માન સભારંભમાં ઉપસ્‍થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.
આ પ્રસંગેઉપસ્‍થિત ખારવા સમાજના પૂર્વ પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાએ શ્રી ડાહ્યાભાઈ પરમારની કામગીરીને બિરદાવી હતી. તેમણે વર્ષો પહેલાની યાદો-ઘટનાઓને વાગોળતા જણાવ્‍યું હતું કે પહેલાં લોકો ‘‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા” ગીતની જેમ આતુરતાથી પોસ્‍ટમેન(ટપાલી)ની રાહ જોતા હતા, ત્‍યારથી આજ સુધી શ્રી ડાહ્યાભાઈએ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી છે. આ પ્રસંગે ઉપસ્‍થિત પોસ્‍ટમાસ્‍ટરોએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી હતી, અને આગામી તેમનું જીવન તંદુરસ્‍ત, નિરોગી અને સુખમય રહે તેવી કામના કરી હતી.

Related posts

સાંસદ લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના સાથે ૬૦ બાળકોને કપડાંનુ દાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

Leave a Comment