October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આગામી તા.7 સપ્‍ટેમ્‍બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્‍સવની ભવ્‍ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશ મહોત્‍સવ ઉપલક્ષમાં ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા 300 ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ કર્યું હતું.
સામાન્‍ય પરિવારો બાપ્‍પાની ભક્‍તિ કરી શકે તે માટે ધર્મ જાગરણ સંસ્‍થાએ ધરમપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના સેંકડો લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજીની 300 ઉપરાંત મૂર્તિઓ નિઃશુલ્‍ક અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિઓ પ્રાપ્ત કરીને લોકો ભાવ વિભોર બન્‍યા હતા. પોતાના ફળીયા કે ઘરમાં બાપ્‍પાની મૂર્તિનું સ્‍થાપન કરી આગામી દશ દિવસ ભક્‍તિમાં લીન થઈ બાપાની સેવા પૂજા, આરતી કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

Leave a Comment