September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આગામી તા.7 સપ્‍ટેમ્‍બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્‍સવની ભવ્‍ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશ મહોત્‍સવ ઉપલક્ષમાં ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા 300 ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ કર્યું હતું.
સામાન્‍ય પરિવારો બાપ્‍પાની ભક્‍તિ કરી શકે તે માટે ધર્મ જાગરણ સંસ્‍થાએ ધરમપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના સેંકડો લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજીની 300 ઉપરાંત મૂર્તિઓ નિઃશુલ્‍ક અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિઓ પ્રાપ્ત કરીને લોકો ભાવ વિભોર બન્‍યા હતા. પોતાના ફળીયા કે ઘરમાં બાપ્‍પાની મૂર્તિનું સ્‍થાપન કરી આગામી દશ દિવસ ભક્‍તિમાં લીન થઈ બાપાની સેવા પૂજા, આરતી કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

Leave a Comment