June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આગામી તા.7 સપ્‍ટેમ્‍બરથી 10 દિવસ સુધી મહારાજા ધિરાજ ગણરાયા અધિનાયક શ્રી ગણેશજીનો ગણેશ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્‍સવની ભવ્‍ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશ મહોત્‍સવ ઉપલક્ષમાં ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા 300 ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ કર્યું હતું.
સામાન્‍ય પરિવારો બાપ્‍પાની ભક્‍તિ કરી શકે તે માટે ધર્મ જાગરણ સંસ્‍થાએ ધરમપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના સેંકડો લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજીની 300 ઉપરાંત મૂર્તિઓ નિઃશુલ્‍ક અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિઓ પ્રાપ્ત કરીને લોકો ભાવ વિભોર બન્‍યા હતા. પોતાના ફળીયા કે ઘરમાં બાપ્‍પાની મૂર્તિનું સ્‍થાપન કરી આગામી દશ દિવસ ભક્‍તિમાં લીન થઈ બાપાની સેવા પૂજા, આરતી કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્‍ય સભા: 15મા નાણાંપંચના વર્ષ 2020-’21 અને 2021-’22ના રૂા.7 કરોડના બજેટને આપેલી બહાલી

vartmanpravah

Leave a Comment