April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું પ્રથમ ચરણ કચ્‍છ માંડવી થી 5તાસારું થઈ ઓખા દ્વારકા થઈ આજે 6 તારીખે પોરબંદર ખાતે પૂર્ણ થઈ હતી. કેબિનેટ મંત્રી મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકાર શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાત સરકારના મત્‍સ્‍ય વિભાગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ મસાની તથા અન્‍ય ગણમાન્‍ય પ્રતિનિધિ મંડળ સાથે જોડાવાનો અવસર મળ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી માછીમાર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ શ્રી લખમભાઈ સોલંકી, વડી શેરી પ્રમુખ શ્રી પ્રેમજી લખમ સોલંકી,
પ્રમુખ વાડી વિસ્‍તાર પ્રમુખ શ્રી શાંતિલાલ દેવા, મંત્રી દીવ જિલ્લા ફિશરમેન એસોસિયેશન શ્રી વીરજી મંગળ, પૂર્વ સરપંચ વણાંકબારા શ્રી વીરજી લક્ષ્મણ, પ્રમુખ મેઘાવારી એસોસિયેશન શ્રી લખમભાઈ વર્જાંગ, શ્રી કાંતિલાલ સોમાં, પૂર્વ પ્રમુખ વાંકાપા બોટ એસોસિએશનના સદસ્‍યોએ પરબંદર ખાતે કેન્‍દ્રીય મંત્રી શ્રીની સુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

Leave a Comment