September 1, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૫
દાનહમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૯૦૧ કેસ રીકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૧૭ નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૩૮૨ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આજરોજ ૦૧ દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ ૨૮૭૦ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૬,૩૮૧ અને બીજો ડોઝ ૭૦,૯૪૫ વ્યક્તિઓને આપવામા આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૭,૩૨૬ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

Leave a Comment