(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૫
દાનહમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૯૦૧ કેસ રીકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૧૭ નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૩૮૨ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આજરોજ ૦૧ દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ ૨૮૭૦ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૬,૩૮૧ અને બીજો ડોઝ ૭૦,૯૪૫ વ્યક્તિઓને આપવામા આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૭,૩૨૬ લોકોને વેક્સીન આપવામા આવી છે.