September 1, 2026
Vartman Pravah
દમણ

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૫
આજરોજ તા.૦૫મી સપ્ટેમ્બર નિમિત્તે ડાભેલ પ્રાથમિક શાળામા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિવસ નિમિત્તે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્દિરાબેન પટેલે પોતાના ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરી દર વર્ષે ઉજવવામાં શિક્ષક દિવસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કોવિદ ગાઈડ લાઈનનું પાલન કરી કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી હતી. શાળાની ચાર વિદ્યાર્થીનીઓને આજના અવસરે ઍક દિવસ માટે શિક્ષિકા બનવાની તક મળી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા શ્રીમતી ઈન્દિરાબેન પટેલ, શિક્ષક શ્રી કિરીટભાઈ, શ્રી જગદીશભાઈ, શ્રી કૃષ્ણભાઈ, હેમલતાબેન, ભારતીબેન, રેખાબેન, વૈશાલીબેન, દક્ષાબેન, કામિનીબેન, દર્શનાબેન, ફાલ્ગુનીબેન, મીનાબેન, જ્યોત્સનાબેન, કૈલાશબેન અને વિણાબેન વિશેક્ષ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

Leave a Comment