(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2પ
સેલવાસના ડોકમરડીના પ્રભુ ફળિયામાં એક ચાલીમાં એક યુવાને પોતાના રૂમમાં જ અગમ્ય કારણસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર કિશોર ચૌબલ (ઉ.વ.24) રહેવાસી કાંતુભાઈનીચાલ, પ્રભુ ફળિયા ડોકમરડી મૂળ રહેવાસી આસામ જે બાલાજી ડોનિયાર કંપનીમાં નોકરી કરતો હતો. જે સવારે પોતાના રૂમમાં જ કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબ્જો લઈ પીએમ માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.