December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ ફરી એક વખત રખોલી દમણગંગા નદીના પુલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીના રખોલી દમણગંગા નદીના પુલ પરથી વહેલી સવારે કુદી આત્‍મહત્‍યાકરી હોવાની માહિતી મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ રાણા (ઉ.વ.43) હાલ રહેવાસી રખોલી અને મૂળ-રહેવાસી ગુજરાત. જેઓ દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ વર્ષથી કેન્‍ટીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સવારે છ વાગ્‍યાના સુમારે ઘરેથી વોકિંગ કરવાના બહાને નિકળ્‍યા હતા અને પુલની વચ્‍ચોવચ ઉભા રહી નદીમાં ઝંપલાવી દીધું હતું.
સંદીપ રાણાએ પુલ ઉપરથી કૂદકો મારી નદીના પટના પથ્‍થરવાળા ભાગમાં પડતાં એમના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમનું ઘટના સ્‍થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્‍યું હતું.
આ ઘટનાને પુલ પરથી પસાર થતાં એક વ્‍યક્‍તિની નજર પડતાં એમણે તાત્‍કાલિક દાનહ પોલીસને ફોલીફોનિક જાણ કરી હતી. જેથી પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. મૃતક સંદીપની બોડીનો કબ્‍જો લઈ પી.એમ. માટે સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી.
સંદીપ રાણાએ કયા કારણોસર આ પગલુ ભર્યું એ અંગે જાણી શકાયુ નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

Leave a Comment